निहितं पतितं वा विस्मृतं वा परद्रव्यं द्रष्ट्वा स्वीकारपरिणामं यः परित्यजति, तस्य हि तृतीयव्रतं भवति इति ।
चतुर्थव्रतस्वरूपकथनमिदम् । વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકાર- પરિણામને (અર્થાત્ તેને પોતાની કરવાના — ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજું વ્રત હોય છે.
[હવે ૫૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. ૭૮.
અન્વયાર્થઃ — [स्त्रीरूपं द्रष्ट्वा] સ્ત્રીઓનું રૂપ દેખીને [तासु] તેમના પ્રત્યે [वांच्छाभावं निवर्तते] વાંછાભાવની નિવૃત્તિ તે [अथवा] અથવા [मैथुनसंज्ञाविवर्जितपरिणामः] મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે [तुरीयव्रतम्] ચોથું વ્રત છે.
ટીકાઃ — આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.