Niyamsar (Gujarati). Shlok: 80 Gatha: 61.

< Previous Page   Next Page >


Page 116 of 380
PDF/HTML Page 145 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ।।’’
तथा हि
(हरिणी)
त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं
निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि
स्थितिमविचलां शर्माकारां जगज्जनदुर्लभां
न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम्
।।८०।।
पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि
गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ।।६१।।
प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु
गच्छति पुरतः श्रमणः ईर्यासमितिर्भवेत्तस्य ।।६१।।

‘‘[ગાથાર્થઃ] જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.’’

વળી (૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ

[શ્લોકાર્થઃ] ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. ૮૦.

અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે
દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.

અન્વયાર્થઃ[श्रमणः] જે શ્રમણ [प्रासुकमार्गेण] પ્રાસુક માર્ગે [दिवा] દિવસે [युगप्रमाणं] ધુરાપ્રમાણ [पुरतः] આગળ [खलु अवलोकयन्] જોઈને [गच्छति] ચાલે છે,

૧૧૬ ]

*આવાસ = નિવાસસ્થાન; ઘર; રહેઠાણ; આયતન.