हृदयसरसिजाताभ्यन्तरे संस्थितं यत् ।
स्वरसविसरभास्वद्बोधविस्फू र्तिमात्रम् ।।१४८।।
भवांबुनिधिमग्नजीवततियानपात्रोपमम् ।
नमामि सततं पुनः सहजमेव तत्त्वं मुदा ।।१४9।।
मुनीश्वरमनोगृहान्तरसुरत्नदीपप्रभम् ।
[શ્લોકાર્થઃ — ] તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અભ્યંતરમાં જે સુસ્થિત છે, તે સહજ તત્ત્વ જયવંત છે. તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે અને તે (સહજ તેજ) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશનમાત્ર છે. ૧૪૮.
[શ્લોકાર્થઃ — ] વળી, જે (સહજ તત્ત્વ) અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી દૂર છે, ઉત્કૃષ્ટ છે, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને (શાંત કરવા) માટે જળ સમાન છે, તે સહજ તત્ત્વને હું પ્રમોદથી સતત નમું છું. ૧૪૯.
[શ્લોકાર્થઃ — ] જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત (પ્રસિદ્ધ) છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનીશ્વરોના મનોગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ લોકમાં દર્શનમોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવાયોગ્ય છે અને જે સુખનું મંદિર છે, તે સહજ તત્ત્વને હું સદા અત્યંત નમું છું. ૧૫૦.
૨૦