भ्रान्तिध्वंसात्सहजपरमानंदचिन्निष्टबुद्धेः ।
भूयो भूयो भवति भविनां संसृतिर्घोररूपा ।।१४५।।
कथं कांक्षंत्येनं बत कलिहतास्ते जडधियः ।।१४६।।
सच्चारित्रं दुरघतरुसांद्राटवीवह्निरूपम् ।
यत्किंभूतं सहजसुखदं शीलमूलं मुनीनाम् ।।१४७।।
[શ્લોકાર્થઃ — ] ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ સહજ-પરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત ( – લીન, એકાગ્ર) છે એવા શુદ્ધચારિત્રમૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પરસમયમાં ( – અન્ય દર્શનમાં) જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી; તે સંસારીઓને ફરીફરીને ઘોર સંસરણ ( – પરિભ્રમણ) થાય છે. ૧૪૫.
[શ્લોકાર્થઃ – ] જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. (તો પછી,) અરેરે! આ વિદ્વાનો પણ કામનાં તીક્ષ્ણ શસ્ત્રોથી ઇજા પામ્યા થકા ક્લેશપીડિત થઈને તેને (કામને) કેમ ઇચ્છે છે! તેઓ જડબુદ્ધિ છે. ૧૪૬.
[શ્લોકાર્થઃ — ] જે દુષ્ટ પાપરૂપી વૃક્ષોની ગીચ અટવીને બાળવાને અગ્નિરૂપ છે એવું પ્રગટ શુદ્ધ-શુદ્ધ સત્ચારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે; (માટે) હે ભવ્યશાર્દૂલ! ( – ભવ્યોત્તમ) તું શીઘ્ર તારી મતિમાં તત્ત્વને નિત્ય ધારણ કર — કે જે તત્ત્વ સહજ સુખનું દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. ૧૪૭.