Niyamsar (Gujarati). Shlok: 143-144.

< Previous Page   Next Page >


Page 202 of 380
PDF/HTML Page 231 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

यः श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतपरमागमार्थविचारक्षमः अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयो- रनादिबन्धनसंबन्धयोर्भेदं भेदाभ्यासबलेन करोति, स परमसंयमी निश्चयव्यवहारप्रत्याख्यानं स्वीकरोतीति

(स्वागता)
भाविकालभवभावनिवृत्तः
सोहमित्यनुदिनं मुनिनाथः
भावयेदखिलसौख्यनिधानं
स्वस्वरूपममलं मलमुक्त्यै
।।१४३।।
(स्वागता)
घोरसंसृतिमहार्णवभास्व-
द्यानपात्रमिदमाह जिनेन्द्रः
तत्त्वतः परमतत्त्वमजस्रं
भावयाम्यहमतो जितमोहः
।।१४४।।

શ્રીમદ્ અર્હંતના મુખારવિંદમાંથી નિકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધ અંતઃતત્ત્વ અને કર્મ- પુદ્ગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચયપ્રત્યાખ્યાન તથા વ્યવહારપ્રત્યાખ્યાનને સ્વીકૃત (અંગીકૃત) કરે છે.

[હવે આ નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] ‘જે ભાવિ કાળના ભવ-ભાવોથી (સંસારભાવોથી) નિવૃત્ત છે તે હું છું’ એમ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. ૧૪૩.

[શ્લોકાર્થઃ] ઘોર સંસારમહાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ જિનેંદ્રદેવે કહ્યું છે; તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ (પારમાર્થિક રીતે) ભાવું છું. ૧૪૪.

૨૦૨ ]