यः श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतपरमागमार्थविचारक्षमः अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयो- रनादिबन्धनसंबन्धयोर्भेदं भेदाभ्यासबलेन करोति, स परमसंयमी निश्चयव्यवहारप्रत्याख्यानं स्वीकरोतीति ।
सोहमित्यनुदिनं मुनिनाथः ।
स्वस्वरूपममलं मलमुक्त्यै ।।१४३।।
द्यानपात्रमिदमाह जिनेन्द्रः ।
भावयाम्यहमतो जितमोहः ।।१४४।।
શ્રીમદ્ અર્હંતના મુખારવિંદમાંથી નિકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધ અંતઃતત્ત્વ અને કર્મ- પુદ્ગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચયપ્રત્યાખ્યાન તથા વ્યવહારપ્રત્યાખ્યાનને સ્વીકૃત ( – અંગીકૃત) કરે છે.
[હવે આ નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ‘જે ભાવિ કાળના ભવ-ભાવોથી (સંસારભાવોથી) નિવૃત્ત છે તે હું છું’ એમ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. ૧૪૩.
[શ્લોકાર્થઃ — ] ઘોર સંસારમહાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ જિનેંદ્રદેવે કહ્યું છે; તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ ( – પારમાર્થિક રીતે) ભાવું છું. ૧૪૪.
૨૦૨ ]