Niyamsar (Gujarati). Shlok: 203 Gatha: 126.

< Previous Page   Next Page >


Page 249 of 380
PDF/HTML Page 278 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૪૯

प्रशस्तसमस्तकायवाङ्मनसां व्यापाराभावात् त्रिगुप्तः, स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधान- पंचेन्द्रियाणां मुखैस्तत्तद्योग्यविषयग्रहणाभावात् पिहितेन्द्रियः, तस्य खलु महामुमुक्षोः परमवीतरागसंयमिनः सामायिकं व्रतं शश्वत् स्थायि भवतीति

(मंदाक्रांता)
इत्थं मुक्त्वा भवभयकरं सर्वसावद्यराशिं
नीत्वा नाशं विकृतिमनिशं कायवाङ्मानसानाम्
अन्तःशुद्धया परमकलया साकमात्मानमेकं
बुद्ध्वा जन्तुः स्थिरशममयं शुद्धशीलं प्रयाति
।।२०३।।
जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा
तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।।१२६।।
यः समः सर्वभूतेषु स्थावरेषु त्रसेषु वा
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१२६।।

ત્રિગુપ્ત (ત્રણ ગુપ્તિવાળો) છે અને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇન્દ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગસંયમીને ખરેખર સામાયિકવ્રત શાશ્વતસ્થાયી છે.

[હવે આ ૧૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થ] આ રીતે ભવભયના કરનારા સમસ્ત સાવદ્યસમૂહને છોડીને, કાય- વચન-મનની વિકૃતિને નિરંતર નાશ પમાડીને, અંતરંગ શુદ્ધિથી પરમ કળા સહિત (પરમ જ્ઞાનકળા સહિત) એક આત્માને જાણીને જીવ સ્થિરશમમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે (અર્થાત્ શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે). ૨૦૩.

સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.

અન્વયાર્થ[यः] જે [स्थावरेषु] સ્થાવર [वा] કે [त्रसेषु] ત્રસ [सर्वभूतेषु] સર્વ જીવો

*વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે

*વ્યાસંગ = ગાઢ સંગ; સંગ; આસક્તિ.