Niyamsar (Gujarati). Shlok: 202 Gatha: 125.

< Previous Page   Next Page >


Page 248 of 380
PDF/HTML Page 277 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(द्रुतविलंबित)
अनशनादितपश्चरणैः फलं
समतया रहितस्य यतेर्न हि
तत इदं निजतत्त्वमनाकुलं
भज मुने समताकुलमंदिरम्
।।२०२।।
विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिंदिओ
तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।।१२५।।
विरतः सर्वसावद्ये त्रिगुप्तः पिहितेन्द्रियः
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१२५।।

इह हि सकलसावद्यव्यापाररहितस्य त्रिगुप्तिगुप्तस्य सकलेन्द्रियव्यापारविमुखस्य तस्य च मुनेः सामायिकं व्रतं स्थायीत्युक्त म्

अथात्रैकेन्द्रियादिप्राणिनिकुरंबक्लेशहेतुभूतसमस्तसावद्यव्यासंगविनिर्मुक्त :, प्रशस्ता-

[શ્લોકાર્થ] ખરેખર સમતા રહિત યતિને અનશનાદિ તપશ્ચરણોથી ફળ નથી; માટે, હે મુનિ! સમતાનું *કુલમંદિર એવું જે આ અનાકુળ નિજ તત્ત્વ તેને ભજ. ૨૦૨.

સાવદ્યવિરત, ત્રિગુપ્ત છે, ઇન્દ્રિયસમૂહ નિરુદ્ધ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.

અન્વયાર્થ[सर्वसावद्ये विरतः] જે સર્વ સાવદ્યમાં વિરત છે, [त्रिगुप्तः] જે ત્રણ ગુપ્તિવાળો છે અને [पिहितेन्द्रियः] જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.

ટીકાઅહીં (આ ગાથામાં), જે સર્વ સાવદ્ય વ્યાપારથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે અને જે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિકવ્રત સ્થાયી છે એમ કહ્યું છે.

અહીં (આ લોકમાં) જે એકેંદ્રિયાદિ પ્રાણીસમૂહને ક્લેશના હેતુભૂત સમસ્ત સાવદ્યના

૨૪૮ ]

*કુલમંદિર = (૧) ઉત્તમ ઘર; (૨) વંશપરંપરાનું ઘર.