अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः ।
शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च ।
य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ।।२०9।।
છે; દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં) અમે વર્તીએ છીએ. ૨૦૫.
[શ્લોકાર્થઃ — ] કોઈ જીવો અદ્વૈતને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઇચ્છે છે; હું દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬.
[શ્લોકાર્થઃ — ] હું — સુખને ઇચ્છનારો આત્મા — અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭.
[શ્લોકાર્થઃ — ] ભવના કરનારા એવા આ વિકલ્પ-કથનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત નયરાશિનો અવિષય છે; માટે આ કોઈ (અવર્ણનીય) આત્મા દ્વૈત કે અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી પર છે). તેને એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદું છું. ૨૦૮.
[શ્લોકાર્થઃ — ] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે