Niyamsar (Gujarati). Gatha: 135 Shlok: 221.

< Previous Page   Next Page >


Page 265 of 380
PDF/HTML Page 294 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૬૫
मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेसिं पि
जो कुणदि परमभत्तिं ववहारणयेण परिकहियं ।।१३५।।
मोक्षगतपुरुषाणां गुणभेदं ज्ञात्वा तेषामपि
यः करोति परमभक्तिं व्यवहारनयेन परिकथितम् ।।१३५।।

व्यवहारनयप्रधानसिद्धभक्ति स्वरूपाख्यानमेतत

ये पुराणपुरुषाः समस्तकर्मक्षयोपायहेतुभूतं कारणपरमात्मानमभेदानुपचार- रत्नत्रयपरिणत्या सम्यगाराध्य सिद्धा जातास्तेषां केवलज्ञानादिशुद्धगुणभेदं ज्ञात्वा निर्वाणपरंपराहेतुभूतां परमभक्ति मासन्नभव्यः करोति, तस्य मुमुक्षोर्व्यवहारनयेन निर्वृति- भक्ति र्भवतीति

(अनुष्टुभ्)
उद्धूतकर्मसंदोहान् सिद्धान् सिद्धिवधूधवान्
संप्राप्ताष्टगुणैश्वर्यान् नित्यं वन्दे शिवालयान् ।।२२१।।
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫.

અન્વયાર્થ[यः] જે જીવ [मोक्षगतपुरुषाणाम्] મોક્ષગત પુરુષોનો [गुणभेदं] ગુણભેદ [ज्ञात्वा] જાણીને [तेषाम् अपि] તેમની પણ [परमभक्तिं ] પરમ ભક્તિ [करोति] કરે છે, [व्यवहारनयेन] તે જીવને વ્યવહારનયે [परिकथितम्] નિર્વાણભક્તિ કહી છે.

ટીકાઆ, વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે.

જે પુરાણ પુરુષો સમસ્તકર્મક્ષયના ઉપાયના હેતુભૂત કારણપરમાત્માને અભેદ- અનુપચાર-રત્નત્રયપરિણતિથી સમ્યક્પણે આરાધીને સિદ્ધ થયા તેમના કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને નિર્વાણની પરંપરાહેતુભૂત એવી પરમ ભક્તિ જે આસન્નભવ્ય જીવ કરે છે, તે મુમુક્ષુને વ્યવહારનયે નિર્વાણભક્તિ છે.

[હવે આ ૧૩૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છેઃ]

[શ્લોકાર્થ] જેમણે કર્મસમૂહને ખંખેરી નાખ્યો છે, જેઓ સિદ્ધિવધૂના (મુક્તિરૂપી