अत्र सिद्धक्षेत्रादुपरि जीवपुद्गलानां गमनं निषिद्धम् ।
जीवानां स्वभावक्रिया सिद्धिगमनं, विभावक्रिया षटकापक्रमयुक्त त्वम्; पुद्गलानां स्वभावक्रिया परमाणुगतिः, विभावक्रिया व्द्यणुकादिस्कन्धगतिः । अतोऽमीषां त्रिलोक- शिखरादुपरि गतिक्रिया नास्ति, परतो गतिहेतोर्धर्मास्तिकायाभावात्; यथा जलाभावे मत्स्यानां गतिक्रिया नास्ति । अत एव यावद्धर्मास्तिकायस्तिष्ठति तत्क्षेत्रपर्यन्तं स्वभावविभाव- गतिक्रियापरिणतानां जीवपुद्गलानां गतिरिति ।
અન્વયાર્થઃ — [यावत् धर्मास्तिकः] જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી [जीवानां पुद्गलानां] જીવોનું અને પુદ્ગલોનું [गमनं] ગમન [जानीहि] જાણ; [धर्मास्ति- कायाभावे] ધર્માસ્તિકાયના અભાવે [तस्मात् परतः] તેથી આગળ [न गच्छंति] તેઓ જતાં નથી.
ટીકાઃ — અહીં, સિદ્ધક્ષેત્રથી ઉપર જીવ-પુદ્ગલોના ગમનનો નિષેધ કર્યો છે.
જીવોની સ્વભાવક્રિયા સિદ્ધિગમન (સિદ્ધક્ષેત્રમાં ગમન) છે અને વિભાવક્રિયા (અન્ય ભવમાં જતાં) છ દિશાઓમાં ગમન છે; પુદ્ગલોની સ્વભાવક્રિયા પરમાણુની ગતિ છે અને વિભાવક્રિયા *દ્વિ-અણુકાદિ સ્કંધોની ગતિ છે. માટે આમની (જીવ-પુદ્ગલોની) ગતિક્રિયા ત્રિલોકના શિખરથી ઉપર નથી, કારણ કે આગળ ગતિહેતુ (ગતિના નિમિત્તભૂત) ધર્માસ્તિકાયનો અભાવ છે; જેમ જળના અભાવે માછલાંની ગતિક્રિયા હોતી નથી તેમ. આથી જ, જ્યાં સુધી ધર્માસ્તિકાય છે તે ક્ષેત્ર સુધી સ્વભાવગતિક્રિયા અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોની ગતિ હોય છે.
૩૬
*દ્વિ-અણુકાદિ સ્કંધો = બે પરમાણુથી માંડીને અનંત પરમાણુના બનેલા સ્કંધો