णियमं णियमस्स फलं णिद्दिट्ठं पवयणस्स भत्तीए ।
शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम् ।
नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः । तत्फलं परमनिर्वाणमिति प्रतिपादितम् । न कवित्वदर्पात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत् । यद्यपि
[હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ગતિહેતુના અભાવને લીધે, સદા (અર્થાત્ કદાપિ) ત્રિલોકના શિખરથી ઊંચે જીવ અને પુદ્ગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.
અન્વયાર્થઃ — [नियमः] નિયમ અને [नियमस्य फलं] નિયમનું ફળ [प्रवचनस्य भक्त्या] પ્રવચનની ભક્તિથી [निर्दिष्टम्] દર્શાવવામાં આવ્યાં. [यदि] જો (તેમાં કાંઈ) [पूर्वापरविरोधः] પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તો [समयज्ञाः] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ) [अपनीय] તેને દૂર કરી [पूरयंतु] પૂર્તિ કરજો.
ટીકાઃ — આ, શાસ્ત્રના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર છે.
પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું ફળ પરમ નિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ) પૂર્વાપર દોષ હોય