Niyamsar (Gujarati). Shlok: 304 Gatha: 185.

< Previous Page   Next Page >


Page 361 of 380
PDF/HTML Page 390 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૬૧
(अनुष्टुभ्)
त्रिलोकशिखरादूर्ध्वं जीवपुद्गलयोर्द्वयोः
नैवास्ति गमनं नित्यं गतिहेतोरभावतः ।।३०४।।

णियमं णियमस्स फलं णिद्दिट्ठं पवयणस्स भत्तीए

पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ।।१८५।।
नियमो नियमस्य फलं निर्दिष्टं प्रवचनस्य भक्त्या
पूर्वापरविरोधो यद्यपनीय पूरयंतु समयज्ञाः ।।१८५।।

शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम्

नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः तत्फलं परमनिर्वाणमिति प्रतिपादितम् न कवित्वदर्पात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत यद्यपि

[હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થ] ગતિહેતુના અભાવને લીધે, સદા (અર્થાત્ કદાપિ) ત્રિલોકના શિખરથી ઊંચે જીવ અને પુદ્ગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.

પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તત્ફળ અહો!
યદિ પૂર્વ-અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.

અન્વયાર્થ[नियमः] નિયમ અને [नियमस्य फलं] નિયમનું ફળ [प्रवचनस्य भक्त्या] પ્રવચનની ભક્તિથી [निर्दिष्टम्] દર્શાવવામાં આવ્યાં. [यदि] જો (તેમાં કાંઈ) [पूर्वापरविरोधः] પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તો [समयज्ञाः] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ) [अपनीय] તેને દૂર કરી [पूरयंतु] પૂર્તિ કરજો.

ટીકાઆ, શાસ્ત્રના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર છે.

પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું ફળ પરમ નિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ) પૂર્વાપર દોષ હોય