स्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम् ।
जाने तत्स्तवनैककारणमहं भक्ति र्जिनेऽत्युत्सुका ।।३०७।।
માર્ગોને લીધે અત્યંત +દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ૩૦૬. વળી —
[શ્લોકાર્થઃ — ] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે — જણાય છે), તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને — કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને — સ્તવવાને ત્રણે લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તોપણ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭.
અન્વયાર્થઃ — [पूर्वापरदोषनिर्मुक्त म्] પૂર્વાપર દોષ રહિત [जिनोपदेशं] જિનોપદેશને [ज्ञात्वा] જાણીને [मया] મેં [निजभावनानिमित्तं] નિજભાવનાનિમિત્તે [नियमसारनामश्रुतम्] નિયમસાર નામનું શાસ્ત્ર [कृतम्] કર્યું છે.
૩૬
+દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દુસ્તર. (સંસાર-અટવીને વિષે અનેક કુનયરૂપી
માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાદ્રષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસાર-અટવી
અત્યંત દુસ્તર છે.)