केचन मंदबुद्धयः त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिर्विकल्पकनिजकारणपरमात्म- तत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानरूपशुद्धरत्नत्रयप्रतिपक्षमिथ्यात्वकर्मोदयसामर्थ्येन मिथ्या- दर्शनज्ञानचारित्रपरायणाः ईर्ष्याभावेन समत्सरपरिणामेन सुन्दरं मार्गं सर्वज्ञवीतरागस्य मार्गं पापक्रियानिवृत्तिलक्षणं भेदोपचाररत्नत्रयात्मकमभेदोपचाररत्नत्रयात्मकं केचिन्निन्दन्ति, तेषां स्वरूपविकलानां कुहेतु
रत्नत्रयमार्गे हे भव्य मा कुरुष्व, पुनर्भक्ति : कर्तव्येति ।
विश्वाशातिकरालकालदहने शुष्यन्मनीयावने“ ।
કોઈ મંદબુદ્ધિઓ ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા નિર્વિકલ્પ નિજ કારણપરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયથી પ્રતિપક્ષ મિથ્યાત્વકર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપરાયણ વર્તતા થકા ઈર્ષાભાવથી અર્થાત્ મત્સરયુક્ત પરિણામથી સુંદર માર્ગને — પાપક્રિયાથી નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા ભેદોપચાર-રત્નત્રયાત્મક અને અભેદોપચાર-રત્નત્રયાત્મક સર્વજ્ઞવીતરાગના માર્ગને — નિંદે છે, તે સ્વરૂપવિકળ (સ્વરૂપપ્રાપ્તિ રહિત) જીવોનાં કુહેતુકુદ્રષ્ટાંતયુક્ત કુતર્કવચનો સાંભળીને જિનેશ્વરપ્રણીત શુદ્ધરત્નત્રયમાર્ગ પ્રત્યે, હે ભવ્ય! અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ કર્તવ્ય છે.
[હવે આ ૧૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] દેહસમૂહરૂપી વૃક્ષપંક્તિથી જે ભયંકર છે, જેમાં દુઃખપરંપરારૂપી જંગલી પશુઓ (વસે) છે, અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ (?) સુકાય છે અને જે દર્શનમોહયુક્ત જીવોને અનેક કુનયરૂપી
*અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.