Niyamsar (Gujarati). Gatha: 6.

< Previous Page   Next Page >


Page 12 of 380
PDF/HTML Page 41 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू

सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो ।।।।
क्षुधा तृष्णा भयं रोषो रागो मोहश्चिन्ता जरा रुजा मृत्युः
स्वेदः खेदो मदो रतिः विस्मयनिद्रे जन्मोद्वेगौ ।।।।

अष्टादशदोषस्वरूपाख्यानमेतत

असातावेदनीयतीव्रमंदक्लेशकरी क्षुधा असातावेदनीयतीव्रतीव्रतरमंदमंदतरपीडया समुपजाता तृषा इहलोकपरलोकात्राणागुप्तिमरणवेदनाकस्मिकभेदात् सप्तधा भवति भयम् क्रोधनस्य पुंसस्तीव्रपरिणामो रोषः रागः प्रशस्तोऽप्रशस्तश्च; दान-


તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨.

ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.

અન્વયાર્થઃ[क्षुधा] ક્ષુધા, [तृष्णा] તૃષા, [भयं] ભય, [रोषः] રોષ (ક્રોધ), [रागः] રાગ, [मोहः] મોહ, [चिन्ता] ચિંતા, [जरा] જરા, [रुजा] રોગ, [मृत्युः] મૃત્યુ, [स्वेदः] સ્વેદ (પરસેવો), [खेदः] ખેદ, [मदः] મદ, [रतिः] રતિ, [विस्मयनिद्रे] વિસ્મય, નિદ્રા, [जन्मोद्वेगौ] જન્મ અને ઉદ્વેગ (આ અઢાર દોષ છે).

ટીકાઃઆ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.

(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે (અર્થાત્ વિશિષ્ટખાસ પ્રકારનાઅશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર- અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (વધારે તીવ્ર), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુપ્તિભય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. (૫) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત

૧૨ ]