अत्र षण्णां द्रव्याणां पृथक्पृथक् नामधेयमुक्त म् ।
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रमनोवाक्कायायुरुच्छ्वासनिःश्वासाभिधानैर्दशभिः प्राणैः जीवति जीविष्यति जीवितपूर्वो वा जीवः । संग्रहनयोऽयमुक्त : । निश्चयेन भावप्राण- धारणाज्जीवः । व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः । शुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादि- शुद्धगुणानामाधारभूतत्वात्कार्यशुद्धजीवः । अशुद्धसद्भूतव्यवहारेण मतिज्ञानादिविभावगुणा- नामाधारभूतत्वादशुद्धजीवः । शुद्धनिश्चयेन सहजज्ञानादिपरमस्वभावगुणानामाधारभूतत्वात्-
અન્વયાર્થઃ — [जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [धर्माधर्मौ] ધર્મ, અધર્મ, [कालः] કાળ, [च] અને [आकाशम्] આકાશ — [तत्त्वार्थाः इति भणिताः] એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ [नानागुणपर्यायैः संयुक्ताः] વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોનાં પૃથક્ પૃથક્ નામ કહેવામાં આવ્યાં છે.
સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છ્વાસ નામના દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે ‘જીવ’ છે. — આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે ‘જીવ’ છે. વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે ‘જીવ’ છે. શુદ્ધ-સદ્ભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે ‘*કાર્યશુદ્ધ જીવ’ છે. અશુદ્ધ-સદ્ભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે ‘અશુદ્ધ જીવ’ છે. શુદ્ધનિશ્ચયથી સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે ‘*કારણશુદ્ધ જીવ’ છે. આ
* દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ ‘કારણશુદ્ધ જીવ’ છે; જે કારણશુદ્ધ જીવને ભાવે છે — તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ