Niyamsar (Gujarati). Shlok: 15.

< Previous Page   Next Page >


Page 20 of 380
PDF/HTML Page 49 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पच्यमानसमस्तदीनजनतामहत्क्लेशनिर्नाशनसमर्थसजलजलदेन कथिताः खलु सप्त तत्त्वानि
नव पदार्थाश्चेति
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः
(आर्या)
‘‘अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात
निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ।।’’
(हरिणी)
ललितललितं शुद्धं निर्वाणकारणकारणं
निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः
भवपरिभवारण्यज्वालित्विषां प्रशमे जलं
प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः
।।१५।।

(અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (પાણીભરેલું વાદળું) છે, તેણેખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.

એવી જ રીતે (આચાર્યદેવ) શ્રી સમંતભદ્રસ્વામીએ (રત્નકરંડશ્રાવકાચારમાં ૪૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] જે ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે તેને આગમીઓ જ્ઞાન (સમ્યગ્જ્ઞાન) કહે છે.’’

[હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીને જિનાગમને વંદન કરે છેઃ]

[શ્લોકાર્થઃ] જે (જિનવચન) લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્ણોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા વંદ્ય છે, તે આ જિનભગવાનનાં સદ્વચનને (સમ્યક્ જિનાગમને) હું પ્રતિદિન વંદું છું. ૧૫.

૧. આગમીઓ = આગમવંતો; આગમના જાણનારાઓ.
૨. લલિતમાં લલિત = અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર.

૨૦ ]