नव पदार्थाश्चेति ।
निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः ।
प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः ।।१५।।
( – અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ ( – પાણીભરેલું વાદળું) છે, તેણે — ખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.
એવી જ રીતે (આચાર્યદેવ) શ્રી સમંતભદ્રસ્વામીએ (રત્નકરંડશ્રાવકાચારમાં ૪૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જે ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે તેને ૧આગમીઓ જ્ઞાન (સમ્યગ્જ્ઞાન) કહે છે.’’
[હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીને — જિનાગમને વંદન કરે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે (જિનવચન) ૨લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્ણોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા વંદ્ય છે, તે આ જિનભગવાનનાં સદ્વચનને (સમ્યક્ જિનાગમને) હું પ્રતિદિન વંદું છું. ૧૫.
૨. લલિતમાં લલિત = અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર.
૨૦ ]