Niyamsar (Gujarati). Shlok: 18-19.

< Previous Page   Next Page >


Page 29 of 380
PDF/HTML Page 58 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૨૯
व्युच्छिन्नतया सदा सन्निहितपरमचिद्रूपश्रद्धानेन अनेन स्वभावानंतचतुष्टयेन सनाथम्
अनाथमुक्ति सुन्दरीनाथम् आत्मानं भावयेत
इत्यनेनोपन्यासेन संसारव्रततिमूललवित्रेण ब्रह्मोपदेशः कृत इति
(मालिनी)
इति निगदितभेदज्ञानमासाद्य भव्यः
परिहरतु समस्तं घोरसंसारमूलम्
सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा
तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति
।।१८।।
(अनुष्टुभ्)
परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे
निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् बुधः ।।9।।

સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્યરૂપની શ્રદ્ધાએ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માનેઅનાથ મુક્તિસુંદરીના નાથનેભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવ- અનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવોઅનુભવવો). આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.

[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮.

[શ્લોકાર્થઃ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (આત્માને) ભાવવો. ૧૯.

૧. ઉપન્યાસ = કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના.
૨. સુકૃત કે દુષ્કૃત = શુભ કે અશુભ.