द्वेषाम्भःपरिपूर्णमानसघटप्रध्वंसनात् पावनम् ।
भेदज्ञानमहीजसत्फलमिदं वन्द्यं जगन्मंगलम् ।।२०।।
निर्व्याबाधं स्फु टितसहजावस्थमन्तर्मुखं च ।
स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम् ।।२१।।
[શ્લોકાર્થઃ — ] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને દ્વેષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, ૧અનુત્તમ, જ્ઞાનરૂપી વૃક્ષનું આ ૩સત્ફળ વંદ્ય છે, જગતને મંગળરૂપ છે. ૨૦.
[શ્લોકાર્થઃ — ] આનંદમાં જેનો ફેલાવ છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાં — સહજ વિલસતા (ખેલતા, પરિણમતા) ચિત્ચમત્કારમાત્રમાં — લીન છે, જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને ( – અંધકારદશાને, અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧.
[શ્લોકાર્થઃ — ] સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨.
૩૦ ]
૨નિરુપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદ-
૧. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.
૨. નિરુપધિ = ઉપધિ વિનાની; પરિગ્રહ રહિત; બાહ્ય સામગ્રી રહિત; ઉપાધિ રહિત; છળકપટ રહિત — સરળ.
૩. સત્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ.