Niyamsar (Gujarati). Gatha: 13.

< Previous Page   Next Page >


Page 31 of 380
PDF/HTML Page 60 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૧

तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो

केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं ।।१३।।
तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः
केवलमिन्द्रियरहितं असहायं तत् स्वभाव इति भणितः ।।१३।।

दर्शनोपयोगस्वरूपाख्यानमेतत

यथा ज्ञानोपयोगो बहुविधविकल्पसनाथः दर्शनोपयोगश्च तथा स्वभावदर्शनोपयोगो विभावदर्शनोपयोगश्च स्वभावोऽपि द्विविधः, कारणस्वभावः कार्यस्वभावश्चेति तत्र कारणद्रष्टिः सदा पावनरूपस्य औदयिकादिचतुर्णां विभावस्वभावपरभावानामगोचरस्य

ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે;
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.

અન્વયાર્થઃ[तथा] તેવી રીતે [दर्शनोपयोगः] દર્શનોપયોગ [स्वस्वभावेतरविकल्पतः] સ્વભાવ અને વિભાવના ભેદથી [द्विविधः] બે પ્રકારનો છે. [केवलम्] જે કેવળ, [इन्द्रियरहितम्] ઇન્દ્રિયરહિત અને [असहायं] અસહાય છે, [तत्] તે [स्वभावः इति भणितः] સ્વભાવ- દર્શનોપયોગ કહ્યો છે.

ટીકાઃઆ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.

જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છેઃ ) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છેઃ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.

ત્યાં કારણદ્રષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ

૧. દ્રષ્ટિ = દર્શન. [દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.]

૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક
સહજપરમપારિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય
કરવાથી પરમપારિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ
સમ્યક્ત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.]