इति कार्यकारणरूपेण स्वभावदर्शनोपयोगः प्रोक्त : । विभावदर्शनोपयोगोऽप्युत्तर- सूत्रस्थितत्वात् तत्रैव द्रश्यत इति ।
रेतेन मार्गेण विना न मोक्षः ।।२३।।
अशुद्धद्रष्टिशुद्धाशुद्धपर्यायसूचनेयम् ।
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.
[હવે ૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] દ્રશિ-જ્ઞપ્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩.
અન્વયાર્થઃ — [चक्षुरचक्षुरवधयः] ચક્ષુ, અચક્ષુ અને અવધિ [तिस्रः अपि] એ ત્રણે [विभावद्रष्टयः] વિભાવદર્શન [इति भणिताः] કહેવામાં આવ્યાં છે. [पर्यायः द्विविकल्पः] પર્યાય દ્વિવિધ છેઃ [स्वपरापेक्षः] સ્વપરાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) [च] અને [निरपेक्षः] નિરપેક્ષ.
ટીકાઃ — આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.
૫