Niyamsar (Gujarati). Shlok: 24-26.

< Previous Page   Next Page >


Page 35 of 380
PDF/HTML Page 64 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૫
हानिश्च नीयते अशुद्धपर्यायो नरनारकादिव्यंजनपर्याय इति
(मालिनी)
अथ सति परभावे शुद्धमात्मानमेकं
सहजगुणमणीनामाकरं पूर्णबोधम्
भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धद्रष्टिः
स भवति परमश्रीकामिनीकामरूपः ।।२४।।
(मालिनी)
इति परगुणपर्यायेषु सत्सूत्तमानां
हृदयसरसिजाते राजते कारणात्मा
सपदि समयसारं तं परं ब्रह्मरूपं
भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम्
।।२५।।
(पृथ्वी)
क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणैः
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः
રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.

અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે. [હવે ૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદ્રષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.

[શ્લોકાર્થઃ] એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારનેકે જેને તું ભજી રહ્યો છે તેને, હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીઘ્ર ભજ; તું તે છે. ૨૫.

[શ્લોકાર્થઃ] જીવતત્ત્વ કવચિત્ સદ્ગુણો સહિત *વિલસે છેદેખાય છે,

* વિલસવું = દેખાવ દેવો; દેખાવું; ઝળકવું; આવિર્ભૂત થવું; પ્રગટ થવું.