Niyamsar (Gujarati). Shlok: 46 Gatha: 31.

< Previous Page   Next Page >


Page 63 of 380
PDF/HTML Page 92 of 409

 

આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૩
सति न ह्यलोकाकाशस्य ह्रस्वत्वमिति
(मालिनी)
इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा
यदपरमखिलानां स्थानदानप्रवीणम्
तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक्
प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः
।।४६।।
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं
तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु ।।३१।।
समयावलिभेदेन तु द्विविकल्पोऽथवा भवति त्रिविकल्पः
अतीतः संख्यातावलिहतसंस्थानप्रमाणस्तु ।।३१।।

(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણુંનાનાપણું નથી (અલોકાકાશ તો અનંત છે.)

[હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] અહીં એમ આશય છે કેજે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, વળી બીજું જે (દ્રવ્ય) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાંને સમ્યક્ દ્રવ્યરૂપે અવલોકીને (યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. ૪૬.

આવલિસમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે;
સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧.

અન્વયાર્થઃ[समयावलिभेदेन तु] સમય અને આવલિના ભેદથી [द्विविकल्पः] વ્યવહારકાળના બે ભેદ છે [अथवा] અથવા [त्रिविकल्पः भवति] (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. [अतीतः] અતીત કાળ [संख्यातावलिहतसंस्थानप्रमाणः तु] (અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે.