Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 52-53 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 121 of 378
PDF/HTML Page 147 of 404

 

background image
आस्ते ततस्तदतिदीर्घतरं हि कालं
जैनं च शासनमतः कृतमस्ति दातुः
।।५१।।
અનુવાદ : જિનાલયના નિમિત્તે જે કાંઈ પૃથ્વી આદિનું દાન કરવામાં આવે
છે તે અહીં ધાર્મિક સંસ્કૃતિનું કારણ હોઈને અંકુરિત થતું થકું અતિશય દીર્ઘ કાળ
સુધી રહે છે. તેથી તે દાતા દ્વારા જૈન શાસન જ કરવામાં આવ્યું છે. ૫૧.
(वसंततिलका)
दानप्रकाशनमशोभनकर्मकार्य-
कार्पण्यपूर्णहृदयाय न रोचते ऽदः
दोषोज्झितं सकललोकसुखप्रदायि
तेजो रवेरिव सदा हतकौशिकाय
।।५२।।
અનુવાદ : જે નિર્દોષ દાનનો પ્રકાશ સમસ્ત જનોને સુખ આપે છે તે
પાપકર્મની કાર્યભૂત કૃપણતા (કંજૂસાઈ)થી પરિપૂર્ણ હૃદયવાળા પ્રાણી (કંજૂસ
મનુષ્ય)ને કદી રુચતો નથી. જેમ દોષો અર્થાત્ રાત્રિના સંસર્ગ રહિત હોવાને લીધે
સમસ્ત પ્રાણીઓને સુખ આપનાર સૂર્યનું તેજ નિન્દનીય ઘુવડને રુચિકર લાગતું
નથી. ૫૨.
(वसंततिलका)
दानोपदेशनमिदं कुरुते प्रमोद-
मासन्नभव्यपुरुषस्य न चेतरस्य
जातिः समुल्लसति दारु न भृङ्गसंगा-
दिन्दीवरं हसति चन्द्रकरैर्न चाश्मा
।।५३।।
અનુવાદ : આ દાનનો ઉપદેશ આસન્નભવ્ય પુરુષોને આનંદ આપનાર છે,
નહિ કે અન્ય (દૂરભવ્ય અને અભવ્ય) પુરુષોને. બરાબર છેભમરાઓના સંસર્ગથી
માલતી પુષ્પ શોભા પામે છે, પરંતુ તેમના સંસર્ગથી લાકડું શોભા પામતું નથી. તેવી
જ રીતે ચન્દ્રકિરણો દ્વારા શ્વેત કમળ પ્રફુલ્લિત થાય છે, પરંતુ પથ્થર પ્રફુલ્લિત થતો
નથી. ૫૩.
અધિકાર૨ઃ દાનનો ઉપદેશ ]૧૨૧