Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 49-51 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 120 of 378
PDF/HTML Page 146 of 404

 

background image
પાત્ર, અવિરત સમ્યગ્દ્રષ્ટિને જઘન્ય પાત્ર, સમ્યગ્દર્શન રહિત હોવા છતાં વ્રતોનું પાલન
કરનાર મનુષ્યોને કુપાત્ર અને બન્ને (સમ્યગ્દર્શન તથા વ્રત) થી રહિત મનુષ્યને અપાત્ર
સમજો. ૪૮.
(वसंततिलका)
तेभ्यः प्रदत्तमिह दानफलं जनाना-
मेतद्विशेषणविशिष्टमदुष्टभावात्
अन्याद्रशे ऽथ हृदये तदपि स्वभावा-
दुच्चावचं भवति किं बहुभिवयोभिः ।।४९।।
અનુવાદ : તે ઉપર્યુક્ત પાત્રોને આપવામાં આવેલ દાનનું ફળ મનુષ્યોને આ
જ (ઉત્તમ, મધ્યમ, જઘન્ય, કુત્સિત અને અપાત્ર) વિશેષણોથી વિશિષ્ટ પ્રકારનું પ્રાપ્ત
થાય છે (જુઓ પાછળના શ્લોક ૨૦૪નો વિશેષાર્થ). અથવા ઘણું કહેવાથી શું? અન્ય
પ્રકારના અર્થાત્ દૂષિત હૃદયમાં પણ તે દાનનું ફળ સ્વભાવથી અનેક પ્રકારનું પ્રાપ્ત
થાય છે. ૪૯.
(वसंततिलका)
चत्वारि यान्यभवभेषजभक्ति शास्त्र-
दानानि तानि कथितानि महाफलानि
नान्यानि गोकनक भूमिरथाङ्गनादि-
दानानि निश्चितमवद्यकराणि यस्मात्
।।५०।।
અનુવાદ : અભયદાન, ઔષધદાન, આહારદાન અને શાસ્ત્રદાન (જ્ઞાનદાન)
આ જે ચાર દાન કહેવામાં આવ્યા છે તે મહાન ફળ આપનારા છે. એનાથી ભિન્ન
ગાય, સોનું, પૃથ્વી, રથ અને સ્ત્રી આદિનાં દાન મહાન ફળ આપનાર નથી; કેમ
કે તે નિશ્ચયથી પાપ ઉત્પાદક છે. ૫૦.
(वसंततिलका)
यद्दीयते जिनगृहाय धरादि किंचित्
तत्तत्र संस्कृतिनिमित्तमिह प्ररूढम्
૧૨૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ