૩. અનિત્ય પંચાશત્
[३. अनित्यपंञ्चाशत् ]
(आर्या)
जयति जिनो धृतिधनुषामिषुमाला भवति योगियोधानाम् ।
यद्वाक्करुणामय्यपि मोहरिपुप्रहतये तीक्ष्णा ।।१।।
અનુવાદ : જે જિન ભગવાનની વાણી ધૈર્યરૂપ ધનુષ ધારણ કરનાર યોગીજનો
રૂપી યોદ્ધાઓને બાણપંક્તિ સમાન હોય છે તથા જેની તે વાણી દયામય હોવા છતાં
પણ મોહ રૂપી શત્રુનો ઘાત કરવા માટે તીક્ષ્ણ તલવારનું કામ કરે છે તે જિન ભગવાન
જયવંત હો .૧.
(शार्दूलविक्रीडित)
यद्येकत्र दिने विभुक्ति रथ वा निद्रा न रात्रौ भवेत्
विद्रात्यम्बुजपत्रवद्दहनतो ऽभ्यासस्थिताद्यद्ध्रुवम् ।
अस्त्रव्याधिजलादितो ऽपि सहसा यच्च क्षयं गच्छति
भ्रातः कात्र शरीरके स्थितिमतिर्नाशेऽस्य को विस्मयः ।।२।।
અનુવાદ : જો કોઈ વાર એક દિવસ ભોજન પ્રાપ્ત થતું નથી કે રાત્રે
ઊંઘ આવતી નથી તો જે શરીર નિશ્ચયથી નિકટવર્તી અગ્નિથી સંતપ્ત થયેલા
કમળના પાંદડાની જેમ મ્લાનતા પામે છે તથા જે અસ્ત્ર, રોગ અને જળ આદિ
દ્વારા અકસ્માત્ નાશ પામે છે; હે ભાઈ! તે શરીરના વિષયમાં સ્થિરતાની બુદ્ધિ
ક્યાંથી થઈ શકે? અને તેનો નાશ થઈ જાય તેમાં આશ્ચર્ય જ શું છે? અર્થાત્
૧૨૩