Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-4 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 124 of 378
PDF/HTML Page 150 of 404

 

background image
તેને ન તો સ્થિર સમજવું જોઈએ અને ન તો નષ્ટ થતાં કાંઈ આશ્ચર્ય પણ થવું
જોઈએ. ૨.
(शार्दूलविक्रीडित)
दुर्गन्धाशुचिधातुभित्तिकलितं संछादितं चर्मणा
विण्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम्
क्लिष्टं कायकुटीरकं स्वयमपि प्राप्तं जरावह्निना
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते
।।।।
અનુવાદ : જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગન્ધયુક્ત અપવિત્ર ધાતુઓ રૂપી દીવાલો
સહિત છે, ચામડાથી ઢાંકેલી છે, વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે, તથા ભૂખ-
તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલા છિદ્રોથી સંયુક્ત છે, તે
ક્લેશયુક્ત શરીરરૂપી ઝુંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે
પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. ૩.
(शार्दूलविक्रीडित)
अम्भोबुद्बुदसंनिभा तनुरियं श्रीरिन्द्रजालोपमा
दुर्वाताहतवारिवाहस
द्रशाः कान्तार्थपुत्रादयः
सौख्यं वैषयिकं सदैव तरलं मत्ताङ्गनापाङ्गवत्
तस्मादेतदुपप्लवाप्तिविषये शोकेन किं किं मुदा
।।।।
અનુવાદ : આ શરીર પાણીના પરપોટા સમાન ક્ષણમાં નાશ પામનાર છે,
લક્ષ્મી ઇન્દ્રજાળ સમાન વિનશ્વર છે; સ્ત્રી, ધન અને પુત્ર આદિ દુષ્ટ વાયુથી તાડિત
વાદળાઓ સમાન જોત જોતામાં જ વિલીન થઈ જાય છે; તથા ઇન્દ્રિયવિષયજન્ય સુખ
સદાય કામોન્મત્ત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં
શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે? કાંઈ પણ નહિ.
અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી અને પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન
પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને
વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૪.
૧૨૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ