(वसंततिलका)
दुःखे वा समुपस्थिते ऽथ मरणे शोको न कार्यो बुधैः
संबन्धो यदि विग्रहेण यदयं संभूतिधात्र्येतयोः ।
तस्मात्तत्परिचिन्तनीयमनिशं संसारदुःखप्रदो
येनास्य प्रभवः पुरः पुनरपि प्रायो न संभाव्यते ।।५।।
અનુવાદ : જો શરીર સાથે સંબંધ હોય તો દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં
વિદ્વાન પુરુષોએ શોક ન કરવો જોઈએ. કારણ એ કે તે શરીર આ બન્ને (દુઃખ અને
મરણ)ની જન્મભૂમિ છે અર્થાત્ આ બન્નેનો શરીર સાથે અવિનાભાવ છે. માટે જ
નિરંતર તે આત્મસ્વરૂપનો વિચાર કરવો જોઈએ જેના દ્વારા આગળ પ્રાયઃ (ઘણું કરીને)
સંસારના દુઃખ આપનાર આ શરીરની ઉત્પત્તિની ફરીથી સંભાવના જ ન રહે. ૫.
(शार्दूलविक्रीडित)
दुर्वारार्जितकर्मकारणवशादिष्टे प्रणष्टे नरे
यच्छोकं कुरुते तदत्र नितरामुन्मत्तलीलायितम् ।
यस्मात्तत्र कृते न सिध्यति किमप्येतत्परं जायते
नश्यन्त्येव नरस्य मूढमनसो धर्मार्थकामादयः ।।६।।
અનુવાદ : પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ
થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન
છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ
થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થ આદિ જ
નષ્ટ થાય છે. ૬.
(उपेन्द्रवज्रा)
उदेति पाताय रविर्यथा तथा
शरीरमेत्तन्ननु सर्वदेहिनाम् ।
स्वकालमासाद्य निजेऽपि संस्थिते
करोति कः शोकमतः प्रबुद्धधीः ।।७।।
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૨૫