Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8-9 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 126 of 378
PDF/HTML Page 152 of 404

 

background image
અનુવાદ : જેમ સૂર્યનો ઉદય અસ્ત થવા માટે થાય છે તેવી જ રીતે નિશ્ચયથી
સમસ્ત પ્રાણીઓનું આ શરીર પણ નષ્ટ થવાને માટે ઉત્પન્ન થાય છે. તો પછી કાળ
પામીને પોતાના કોઈ બંધુ વગેરેનું મરણ થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક
કરે? અર્થાત્ તેને માટે કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી.
વિશેષાર્થ : જેવી રીતે સૂર્યનો ઉદય અસ્તનો અવિનાભાવી છે તેવી જ રીતે શરીરની
ઉત્પત્તિ પણ વિનાશની અવિનાભાવી છે. આવી સ્થિતિમાં તે વિનશ્વર શરીરનો નાશ થતાં તેના
વિષયમાં શોક કરવો વિવેકહીનતાનું દ્યોતક છે. ૭.
(वसंततिलका)
भवन्ति वृक्षेषु पतन्ति नूनं पत्राणि पुष्पाणि फलानि यद्वत्
कुलेषु तद्वत्पुरुषाः किमत्र हर्षेण शोकेन च सन्मतीनाम् ।।।।
અનુવાદ : જેવી રીતે વૃક્ષોમાં પત્ર, પુષ્પ અને ફળ ઉત્પન્ન થાય છે અને
તેઓ સમયાનુસાર નિશ્ચયથી પડે પણ છે, તેવી જ રીતે કુળો (કુટુંબ)માં જે પુરુષો
ઉત્પન્ન થાય છે તેઓ મરે પણ છે. તો પછી બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતાં
હર્ષ અને મરતાં શોક શા માટે થવો જોઈએ? ન થવો જોઈએ. ૮.
(शार्दूलविक्रीडित)
दुर्लङ्घयाद्भवितव्यताव्यतिकरान्नष्टे प्रिये मानुषे
यच्छोकः क्रियते तदत्र तमसि प्रारभ्यते नर्तनम्
सर्वं नश्वरमेव वस्तु भुवने मत्वा महत्या धिया
निर्धूताखिलदुःखसंततिरहो धर्मः सदा सेव्यताम्
।।।।
અનુવાદ : દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય
તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે.
સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે, એમ ઉત્તમ બુદ્ધિદ્વારા જાણીને સમસ્ત
દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો.
વિશેષાર્થ : જેમ અંધારામાં નૃત્યનો આરંભ કરવો નિષ્ફળ છે તેવી રીતે કોઈ પ્રિયજનનો
વિયોગ થતાં તેના માટે શોક કરવો પણ નિષ્ફળ જ છે. કારણ કે સંસારના બધા જ પદાર્થ સ્વભાવથી
૧૨૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ