નાશ પામે છે, એમ વિવેકબુદ્ધિથી નિશ્ચિત છે. તેથી જે ધર્મ સમસ્ત દુઃખોનો નાશ કરીને અનંત
સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરાવે છે તેનું જ આરાધન કરવું જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
पूर्वोपार्जितकर्मणा विलिखितं यस्यावसानं यदा
तज्जायेत तदैव तस्य भविनो ज्ञात्वा तदेतद्ध्रुवम् ।
शोकं मुञ्च मृते प्रिये ऽपि सुखदं धर्मं कुरुष्वादरात्
सर्पे दूरमुपागते किमिति भोस्तद्घृष्टिराहन्यते ।।१०।।
અનુવાદ : પૂર્વે કમાયેલ કર્મ દ્વારા જે પ્રાણીનો અંત જે સમયે લખવામાં
આવ્યો છે તેનો તે જ સમયે અંત થાય છે એમ નિશ્ચિત જાણીને કોઈ પ્રિય મનુષ્યનું
મરણ થવા છતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો.
ઠીક છે – જ્યારે સાપ દૂર ચાલ્યો જાય છે ત્યારે તેના લીસોટાને ક્યો બુદ્ધિમાન પુરુષ
લાઠી દ્વારા પીટે છે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન તેમ કરતો નથી. ૧૦.
(शार्दूलविक्रीडित)
ये मूर्खा भुवि ते ऽपि दुःखहतये व्यापारमातन्वते
सा माभूदथवा स्वकर्मवशतस्तस्मान्न ते ताद्रशाः ।
मूर्खान् मूर्खशिरोमणीन् ननु वयं तानेव मन्यामहे
ये कुर्वन्ति शुचं मृते सति निजे पापाय दुःखाय च ।।११।।
અનુવાદ : આ પૃથ્વી ઉપર જે મૂર્ખ મનુષ્યો છે તેઓ પણ દુઃખનો નાશ
કરવા માટે પ્રયત્ન કરે છે. છતાં પણ જો પોતાના કર્મના પ્રભાવથી તે દુઃખનો વિનાશ
ન યે થાય તોપણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ખોને મૂર્ખોમાં શ્રેષ્ઠ
અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને
દુઃખના નિમિત્તભૂત શોકને દૂર કરે છે.
વિશેષાર્થ : લોકમાં જે પ્રાણીને મૂર્ખ સમજવામાં આવે છે તેઓ પણ દુઃખ દૂર કરવાનો
પ્રયત્ન કરે છે. જો કદાચ દૈવવશે તેમને પોતાના આ પ્રયત્નમાં સફળતા ન યે મળે તોપણ તેમને
એટલા બધા જડ (મૂર્ખ) ગણવામાં આવતા નથી. પરંતુ જે મનુષ્ય કોઈ ઇષ્ટ જનનો વિયોગ થતાં
શોક કરે છે તેમને મૂર્ખ જ નહિ પણ મૂર્ખશિરોમણિ (અતિશય જડ) ગણવામાં આવે છે. કારણ
એ છે કે મૂર્ખ સમજવામાં આવતા તે પ્રાણીઓ તો આવેલું દુઃખ દૂર કરવા માટે જ કાંઈ ને કાંઈ
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૨૭