અનુવાદ : હે જિનેન્દ્ર! રાગાદિ વિકાર રહિત અને અતિશય શાંત એવા
આપના દર્શન થતાં જેની દ્રષ્ટિ હર્ષ પામતી નથી તેને નવીન જન્મનો નાશ થઈ શકતો
નથી અર્થાત્ તેની સંસાર પરંપરા ચાલતી જ રહેશે. ૮.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर जं मह कज्जंतराउलं हिययं ।
कइया वि हवइ पुव्वज्जियस्य कम्मस्स सो दोसो ।।९।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થયા પછી ય જો મારું હૃદય કોઈવાર
બીજા કોઈ મહાન્ કાર્યથી વ્યાકુળ થાય છે તો તે પૂર્વોપાર્જિત કર્મના દોષથી થાય
છે. ૯.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर अच्छउ जम्मंतरं ममेहावि ।
सहसा सुहेहिं घडियं दुक्खेहिं पलाइयं दूरं ।।१०।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં અન્ય જન્મના સુખની ઇચ્છા
તો દૂર રહો, પરંતુ તેનાથી આ લોકમાં પણ મને અકસ્માત્ સુખ પ્રાપ્ત થયું છે અને
સર્વ દુઃખો દૂર ભાગી ગયા છે. ૧૦.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर बज्झइ पट्टो दिणम्मि अज्जयणे ।
सहलत्तणेण मज्झे सव्वदिणाणं पि सेसाणं ।।११।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં બાકીના બધા જ દિવસોમાં
આજના દિવસે સફળતાનો પટ્ટ બાંધવામાં આવ્યો છે. અભિપ્રાય એમ છે કે આટલા
દિવસોમાં આજનો આ મારો દિવસ સફળ થયો છે કારણ કે આજ મને ચિરસંચિત
પાપનો નાશ કરનારૂં આપનું દર્શન પ્રાપ્ત થયું છે. ૧૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भवणमिणं तुज्झ मह महग्धतरं ।
सव्वाणं पि सिरीणं संकेयघरं व पडिहाइ ।।१२।।
અધિકાર – ૧૪ઃ જિનવર સ્તવન ]૨૯૯