Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 4-8 (14. Jinavar Stavan).

< Previous Page   Next Page >


Page 298 of 378
PDF/HTML Page 324 of 404

 

background image
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर णट्ठं चिय मण्णियं महापावं
रविउग्ग्मे णिसाए ठाइ तमो कित्तियं कालं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં હું મહાપાપને નષ્ટ થયેલું જ
માનું છું. બરાબર છેસૂર્યનો ઉદય થતાં રાત્રિનો અંધકાર ભલા કેટલો વખત ટકી
શકે છે? અર્થાત્ ટકતો નથી, તે સૂર્યનો ઉદય થતાં જ નષ્ટ થઈ જાય છે. ૪.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सिज्झइ सो को वि पुण्णपब्भारो
होइ जणो जेण पहु इहपरलोयत्थसिद्धीणं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં એવો કોઈ અપૂર્વ પુણ્યનો સમૂહ
સિદ્ધ થાય છે કે જેથી પ્રાણી આ લોક અને પરલોક સંબંધી ઇષ્ટ સિદ્ધિઓનો સ્વામી
બની જાય છે. ૫.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर मण्णे तं अप्पणो सुकयलाहं
होही सो जेणासरिससुहणिही अक्खओ मोक्खो ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં હું મને એવા પુણ્યલાભવાળો માનું
છું કે જેથી મને અનુપમ સુખના ભંડારસ્વરૂપ તે અવિનશ્વર મોક્ષ પ્રાપ્ત થશે. ૬.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर संतोसो मज्झ तह परो जाओ
इंदविहवो वि जणइ ण तण्हालेसं पि जह हियए ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મને એવો ઉત્કૃષ્ટ સંતોષ ઉત્પન્ન
થયો છે કે જેથી મારા હૃદયમાં ઇન્દ્રનો વૈભવ પણ લેશમાત્ર તૃષ્ણા ઉત્પન્ન કરતો
નથી. ૭.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर वियारपडिवज्जिए परमसंते
जस्स ण हिट्ठी दिट्ठी तस्स ण णवजम्मविच्छेओ ।।।।
૨૯૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ