અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં જે ભવ્ય જીવ પદ્મનન્દી મુનિદ્વારા
રચવામાં આવેલી આપની આ દર્શન સ્તુતિ ત્રણે સંધ્યાકાળે વાંચે છે, તે હે પ્રભો!
પોતાના સંસાર સમૂહનો નાશ કરે છે. ૩૩.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भणियमिणं जणियजणमणाणंदं ।
सव्वेहिं पढिज्जंतं णंदउ सुइरं धरावीढे ।।३४।।
અનુવાદ : હે જિનેન્દ્ર ! આપના દર્શન કરીને મેં ભવ્યજનોના મનને આનંદિત
કરનાર જે દર્શન સ્તોત્ર કહ્યું છે તે સર્વને વાંચવાનો વિષય બનીને પૃથ્વીતળ ઉપર
ચિરકાળ સુધી સમૃદ્ધિ પામો. ૩૪.
આ રીતે જિનદર્શનસ્તુતિ સમાપ્ત થઈ. ૧૪.
અધિકાર – ૧૪ઃ જિનવર સ્તવન ]૩૦૫