Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 15-17 (15. Shrutdevata Stuti).

< Previous Page   Next Page >


Page 311 of 378
PDF/HTML Page 337 of 404

 

background image
પરિણમીને તમે ક્યા જીવોના હૃદયમાં આશ્ચર્ય નથી કરતા? અર્થાત્ સર્વે જીવોને
આશ્ચર્યચકિત કરો છો.
વિશેષાર્થ : જિનેન્દ્ર ભગવાનની જે સમુદ્રના શબ્દ સમાન ગંભીર દિવ્યધ્વનિ ખરે
છે એ જ વાસ્તવમાં સરસ્વતીની સર્વોત્કૃષ્ટતા છે. એને જ ગણધરદેવ બાર અંગોમાં ગૂંથે
છે, તેમાં આ અતિશય વિશેષ છે કે જેનાથી તે સમુદ્રના શબ્દ સમાન અક્ષરમય ન હોવા
છતાં પણ શ્રોતાજનોનેે પોતપોતાની ભાષા સ્વરૂપે પ્રતીત થાય છે અને તેથી તેને સર્વભાષાત્મક
કહેવામાં આવે છે. ૧૪.
(वंशस्थ)
सचक्षुरप्येष जनस्त्वया विना यदन्ध एवेति विभाव्यते बुधैः
तदस्य लोयत्रितयस्य लोचनं सरस्वति त्वं परमार्थदर्शने ।।१५।।
અનુવાદ : હે સરસ્વતી! આ મનુષ્ય તમારા વિના આંખો સહિત હોવા છતાં
પણ વિદ્વાનો દ્વારા અંધ (અજ્ઞાની) જ ગણાય છે. તેથી ત્રણે લોકના પ્રાણીઓને યથાર્થ
તત્ત્વનું દર્શન (જ્ઞાન) કરાવવામાં તમે અનુપમ નેત્ર સમાન છો. ૧૫.
(वंशस्थ)
गिरा नरप्राणितमेति सारतां कवित्ववक्तृत्वगुणेन सा च गीः
इदं द्वयं दुर्लभमेव ते पुनः प्रसादलेशादपि जायते नृणाम् ।।१६।।
અનુવાદ : જેમ વાણી દ્વારા મનુષ્યોનું જીવન શ્રેષ્ઠત્વ પામે છે તેવી જ રીતે
તે વાણી પણ કવિત્વ અને વક્તૃત્વ ગુણો દ્વારા શ્રેષ્ઠતા પામે છે. આ બન્ને (કવિત્વ
અને વકતૃત્વ) જો કે દુર્લભ જ છે, તો પણ હે દેવી! તારી થોડીક પ્રસન્નતાથી ય
તે બન્ને ગુણ મનુષ્યોને પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
(वंशस्थ)
नृणां भवत्संनिधिसंस्कृतं श्रवो विहाय नान्यद्धितमक्षयं च तत्
भवेद्विवेकार्थमिद परं पुनर्विमूढतार्थं विषयं स्वमर्पयत् ।।१७।।
અનુવાદ : હે સરસ્વતી! તમારી સમીપતાથી સંસ્કાર પામેલા શ્રવણ (કાન)
સિવાય મનુષ્યોનું બીજું કોઈ અવિનશ્વર હિત નથી. તમારી સમીપતાથી સંસ્કાર
પામેલ આ શ્રવણ વિવેકનું કારણ થાય છે અને પોતાને વિષય તરફ પ્રવૃત્તિ
કરાવનારા બીજું શ્રવણ અવિવેકનું કારણ થાય છે.
અધિકાર૧૫ઃ શ્રુતદેવતા સ્તુતિ ]૩૧૧