૧૮. શાન્તિનાથ સ્તોત્ર
[१८. शान्तिनाथ स्तोत्रम् ]
(शार्दूलविक्रीडित)
त्रैलोक्याधिपतित्वसूचनपरं लोकेश्वरैरुद्धृतं
यस्योपर्युपरीन्दुमण्डलनिभं छत्रत्रयं राजते ।
अश्रान्तोद्गतकेवलोज्ज्वलरुचा निर्भर्त्सितार्कप्रभं
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा ।।१।।
અનુવાદ : જે શાન્તિનાથ ભગવાનના એક એક ઉપર ઇન્દ્રો દ્વારા ધારણ
કરવામાં આવતા ચન્દ્રમંડળ સમાન ત્રણ છત્ર ત્રણે લોકની પ્રભુતા સૂચિત કરતા
નિરન્તર ઉદયમાન રહેનાર કેવળજ્ઞાનરૂપ નિર્મળ જ્યોતિ દ્વારા સૂર્યના પ્રકાશને
તિરસ્કૃત કરીને સુશોભિત થાય છે તે પાપરૂપ કાલિમાંથી રહિત શ્રી શાન્તિનાથ
જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૧.
(शार्दूलविक्रीडित)
देवः सर्वविदेष एष परमो नान्यस्त्रिलोकीपतिः
सन्त्यस्यैव समस्ततत्त्वविषया वाचः सतां संमताः ।
एतद्घोषयतीव यस्य विबुधैरास्फालितो दुन्दुभिः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा ।।२।।
અનુવાદ : જેની ભેરી દેવો દ્વારા તાડિત થઈને જાણે એ જ ઘોષણા કરે
છે કે ત્રણે લોકના સ્વામી અને સર્વજ્ઞ આ શાન્તિનાથ જિનેન્દ્ર જ ઉત્કૃષ્ટ દેવ છે
અને બીજા નથી; તથા સમસ્ત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરનાર એમના જ
૩૩૦