(ભૂમંડળના સમસ્ત જીવો) ને વિકસિત (પ્રમુદિત) જ કરે છે. લોકપ્રસિદ્ધ પ્રભાત નિશાચરો (ચન્દ્ર,
ચોર અને ઘૂવડ વગેરે)ના તેજ અને સુખનો નાશ કરે છે પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત તેમના
તેજ અને સુખનો નાશ નથી કરતું. આ રીતે તે જિન ભગવાનનું અપૂર્વ સુપ્રભાત સર્વ પ્રાણીઓને
માટે કલ્યાણકારી છે. ૭.
दुष्कर्मोदयनिद्रया परिहृतं जागर्ति सर्वं जगत्
तेषामाशु विनाशमेति दुरितं धर्मः सुखं वर्धते
ઉદયરૂપ નિદ્રાથી છૂટકારો પામીને જાગે છે અર્થાત્ પ્રબોધ પામે છે તે જિન
ભગવાનના સુપ્રભાતની સ્તુતિ સ્વરૂપ આ પ્રભાતાષ્ટક જે જીવ નિરંતર ભણે છે તેમના
પાપ તરત જ નાશ પામે છે તથા ધર્મ અને સુખ વૃદ્ધિ પામે છે.
પામે છે તથા જેમ પ્રભાત થતા જગતના પ્રાણી નિદ્રા રહિત થઈને જાગી ઉઠે છે તેવી જ રીતે
જિન ભગવાનના પ્રભાતમાં જગતના સર્વ પ્રાણી પાપકર્મના ઉદયસ્વરૂપ નિદ્રારહિત થઈને જાગી જાય
છે
અને ધર્મ તથા સુખની અભિવૃદ્ધિ થાય છે. ૮.