Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 6-7 (18. Shantinath Stotra).

< Previous Page   Next Page >


Page 332 of 378
PDF/HTML Page 358 of 404

 

background image
तर्क्येते हि यदग्रतो ऽतिविशदं तद्यस्य भामण्डलं
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શાન્તિનાથ ભગવાનનું અત્યંત નિર્મળ તે ભામંડળ છે કે
જેની આગળ લોકોના બન્ને નેત્ર તથા દેવ સૂર્ય અને ચન્દ્રના વિષયમાં એવી કલ્પના
કરે છે કે આ શું બે આગિયા છે અથવા અગ્નિના બે તણખા છે, અથવા સફેદ
વાદળના બે ટૂકડા છે, તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ભગવાન શાન્તિનાથ જિનેન્દ્રનું પ્રભામંડળ એટલું નિર્મળ
અને દેદીપ્યમાન હતું કે તેની આગળ સૂર્યચન્દ્ર લોકોને આગિયા, અગ્નિકણ અથવા સફેદ વાદળાના
ટૂકડા સમાન કાન્તિહીન લાગતા હતા. ૫.
(शार्दूलविक्रीडित)
यस्याशोकतरुर्विनिद्रसुमनोगुच्छप्रसक्तैः क्वणद्-
भृङ्गैर्भक्तियुतः प्रभोरहरहर्गायन्निवास्ते यशः
शुभ्रं साभिनयो मरुच्चललतापर्यन्तपाणिश्रिया
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શ્રી શાન્તિનાથ જિનેન્દ્રનું અશોકવૃક્ષ વિકસિત પુષ્પોના ગુચ્છોમાં
આસક્ત થઈને શબ્દ કરનાર ભમરા દ્વારા જાણે ભક્તિયુત થઈને પ્રતિદિન પ્રભુના
ધવલ યશનું ગાન કરતું તથા વાયુથી ચંચળ લતાઓના પર્યન્તભાગરૂપ ભુજાઓની
શોભાથી જાણે અભિનય (નૃત્ય) કરતું સ્થિત છે તે પાપરૂપ કાલિમારહિત શ્રી
શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૬.
(शार्दूलविक्रीडित)
विस्तीर्णाखिलवस्तुतत्त्वकथनापारप्रवाहोज्ज्वला
निःशेषार्थिषेवितातिशिशिरा शैलादिवोत्तुङ्गतः
प्रोदभूता हि सरस्वती सुरनुता विश्वं पुनाना यतः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
૩૩[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ