વ્યાખ્યાનરૂપ અપાર પ્રવાહથી ઉજ્જ્વળ, સર્વ યાચકો વડે સેવિત, અતિશય શીતળ,
દેવોથી સ્તુતિ પામેલ અને વિશ્વને પવિત્ર કરનારી છે; તે પાપરૂપ કાલિમા રહિત
શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો.
તેવી જ રીતે ભગવાનની વાણી વિસ્તીર્ણ સમસ્ત પદાર્થોના સ્વરૂપના કથનરૂપ પ્રવાહથી સંયુક્ત
છે, જેમ સ્નાનાદિના અભિલાષી જનો તે નદીની સેવા કરે છે તેવી જ રીતે તત્ત્વના જિજ્ઞાસુ
જીવો ભગવાનની તે વાણીની પણ સેવા કરે છે, જેમ નદી ગરમીથી પિડાયેલા પ્રાણીઓને
સ્વભાવથી શીતળ કરનારી છે તેવી જ રીતે ભગવાનની તે વાણી પણ પ્રાણીઓના સંસારરૂપ
સંતાપનો નાશ કરીને તેમને શીતળ કરનારી છે, નદી જો ઊંચા પર્વત ઉપરથી ઉત્પન્ન થાય
છે તો તે વાણી પર્વત સમાન ગુણોથી ઉન્નતિ પામેલા જિનેન્દ્ર ભગવાનથી ઉત્પન્ન થઈ છે,
જો દેવ નદીની સ્તુતિ કરે છે તો તેઓ ભગવાનની તે વાણીની પણ સ્તુતિ કરે છે; તથા જો
નદી શારીરિક બાહ્ય મળ દૂર કરીને વિશ્વને પવિત્ર કરે છે તો તે ભગવાનની વાણી પ્રાણીઓના
અભ્યંતર મળ (અજ્ઞાન અને રાગ
કેવળ પ્રાણીઓના બાહ્ય મળ જ દૂર કરી શકે છે પરંતુ તે ભગવાનની વાણી તેમનો અભ્યંતર
મળ પણ દૂર કરે છે. ૭.
चञ्चच्चन्द्रमरीचिसंचयसमाकारैश्चलच्चामरैः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
પ્રકાશમાન ચન્દ્રકિરણોના સમૂહ સમાન આકારવાળા ચંચળ ચામરો ઢોળે છે, તો
પણ જે ઇચ્છારહિત છે; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો. ૮.