(शार्दूलविक्रीडित)
निःशेषश्रुतबोधवृद्धमतिभिः पायैरुदारैरपि
स्तोत्रैर्यस्य गुणार्णवस्य हरिभिः पारो न संप्राप्यते ।
भव्याभ्भोरुहनन्दिकेवलरविर्भक्त्या मयापि स्तुतः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा ।।९।।
અનુવાદ : સમસ્ત શાસ્ત્રજ્ઞાનથી વૃદ્ધિ પામેલી બુદ્ધિવાળા ઇન્દ્રો પણ અનેક
મહાન સ્તોત્રો દ્વારા જે શાન્તિનાથ જિનેન્દ્રના ગુણસમૂહનો પાર પામતા નથી તે
ભવ્ય જીવોરૂપ કમળોને પ્રફુલ્લિત કરનાર એવા કેવળજ્ઞાનરૂપ સૂર્ય સંયુક્ત
જિનેન્દ્રની મેં જે સ્તુતિ કરી છે તે કેવળ ભક્તિને વશ થઈને જ કરી છે. તે પાપરૂપ
કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૯.
આ રીતે શાન્તિનાથ સ્તોત્ર સમાપ્ત થયું. ૧૮.
૩૩૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ