૧૯. શ્રીજિનપૂજાષ્ટક
[१९. श्रीजिनपूजाष्टकम् ]
(वसंततिलका)
जातिर्जरामरणमित्यनलत्रयस्य
जिवाश्रितस्य बहुतापकृतो यथावत् ।
विध्यापनाय जिनपादयुगाग्रभूमौ
धारात्रयं प्रवरवारिकृतं क्षिपामि ।।१।।
અનુવાદ : જન્મ, જરા અને મરણ આ જીવના આશ્રયે રહેનાર ત્રણ અગ્નિઓ
બહુ સંતાપ કરનારી છે. હું તેમને શાન્ત કરવા માટે જિન ભગવાનના ચરણ યુગલ
આગળ વિધિપૂર્વક ઉત્તમ જળથી નિર્મિત ત્રણ ધારાઓનું ક્ષેપણ કરૂં છું. ૧. જળધારા.
(वसंततिलका)
यद्वद्वचो जिनपतेर्भवतापहारि
नाहं सुशीतलमपीह भवामि तद्वत् ।
कर्पूरचन्दनमितीव मयार्पितं सत्
त्वत्पादपङ्कजसमाश्रयणं करोति ।।२।।
અનુવાદ : જેવી રીતે જિન ભગવાનની વાણી સંસારનો સંતાપ દૂર કરનારી
છે તેવી રીતે શીતળ હોવા છતાં પણ હું તે સંતાપ દૂર કરી શકતો નથી, આ જાતના
વિચારથી જ જાણે મારા દ્વારા ભેટ કરવામાં આવેલ કપૂર મિશ્રિત તે ચન્દન હે
ભગવાન્! આપના ચરણકમળોનો આશ્રય કરે છે. ૨. ચંદન.
૩૩૫