Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 5-7 (19. Jinpoojashtak).

< Previous Page   Next Page >


Page 337 of 378
PDF/HTML Page 363 of 404

 

background image
છે, નહિ કે જ્યાં તે વસ્તુ વિદ્યમાન હોય ત્યાં મૂકવાથી. તાત્પર્ય એ છે કે જિનેન્દ્ર ભગવાન
જ જગત્વિજયી કામદેવ રહિત હોવાના કારણે પુષ્પો દ્વારા પૂજવાને યોગ્ય છે, નહિ કે ઉક્ત
કામ પીડિત હરિ-હર આદિ. કારણ એ છે કે પૂજક જેમ કામરહિત જિનેન્દ્રની પૂજાથી સ્વયં
પણ કામરહિત થઈ જાય છે તેવી રીતે કામ પીડિત અન્યની પૂજા કરવાથી તે કદી પણ
તેનાથી રહિત થઈ શકતા નથી. ૪. પુષ્પ.
(वसंततिलका)
देवो ऽयमिन्द्रियबलप्रलयं करोति
नैवेद्यमिन्द्रियबलप्रदखाद्यमेतत्
चित्रं तथापि पुरतः स्थितमर्हतो ऽस्य
शोभां बिभर्ति जगतो नयनोत्सवाय
।।।।
અનુવાદ : આ ભગવાન ઇન્દ્રિયનું બળ નષ્ટ કરે છે અને આ નૈવેદ્ય ઇન્દ્રિયનું
બળ આપનાર ખાદ્ય (ભક્ષ્ય) છે છતાં પણ આશ્ચર્ય છે કે આ અરહંત ભગવાનની
આગળ સ્થિત તે નૈવેદ્ય જગત્ના પ્રાણીઓના નેત્રોને આનંદદાયક શોભા ધારણ કરે
છે. ૫. નૈવેદ્ય.
(वसंततिलका)
आरार्तिकं तरलवह्निशिखं विभाति
स्वच्छे जिनस्य वपुषि प्रतिबिम्बितं सत्
ध्यानानलो मृगयमाण इवावशिष्टं
दग्धुं परिभ्रमति कर्मचयं प्रचण्डः
।।।।
અનુવાદ : ચંચળ અગ્નિશિખાથી સંયુક્ત આરતીનો દીપક જિન ભગવાનના
સ્વચ્છ શરીરમાં પ્રતિબિંબિત થઈને એવો શોભે છે કે જાણે તે બાકી રહેલા (અઘાતિ)
કર્મસમૂહને બાળવા માટે શોધતી તીવ્ર ધ્યાનરૂપ અગ્નિ જ ફરી રહી હોય. ૬. દીપ.
(वसंततिलका)
कस्तूरिकारसमयीरिव पत्रवल्लीः
कुर्वन् मुखेषु चलनैरिह दिग्वधूनाम्
અધિકાર૧૯ઃ શ્રી જિનપૂજાષ્ટક ]૩૩૭