कार्या कृषिः फलकृते न तु भूपकृत्यै
પૂજા આદિથી કાંઈ પણ પ્રયોજન રહ્યું નથી, તો પણ મનુષ્ય પોતાના કલ્યાણ
માટે તમારી પૂજા કરે છે. બરાબર પણ છે
પ્રયોજન (કુટુંબ પરિપાલન આદિ) ને સાધવા માટે તે કરે છે. બરાબર એવી જ રીતે
ભક્તજનો જે જિનેન્દ્ર આદિની પૂજા કરે છે તે કાંઈ તેમને પ્રસન્ન કરવા માટે કરતા નથી,
પરંતુ પોતાના આત્મપરિણામોની નિર્મળતા માટે જ કરે છે. કારણ એ છે કે જિન ભગવાન
તો વીતરાગ (રાગ-દ્વેષ રહિત) છે, તેથી તેનાથી તેમની પ્રસન્નતા તો સંભવતી નથી; છતાં
પણ તેનાથી પૂજા કરનારાને પરિણામોમાં જે નિર્મળતા ઉત્પન્ન થાય છે તેનાથી તેના પાપકર્મોનો
રસ ક્ષીણ થાય છે અને પુણ્યકર્મોનો અનુભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે દુઃખનો વિનાશ થઈને
તેને સુખની પ્રાપ્તિ સ્વયમેવ થાય છે. આચાર્યપ્રવર શ્રી સમન્તભદ્ર સ્વામીએ પણ એમ જ કહ્યું
છે
પ્રયોજન રહ્યું નથી. છતાં પણ પૂજા આદિ દ્વારા થતું આપના પવિત્ર ગુણનું સ્મરણ અમારા
ચિત્તને પાપરૂપ કાલિમાથી બચાવે છે. [સ્વયંભૂ સ્તોત્ર. ૫૭]. ૧૦.