Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


Page 339 of 378
PDF/HTML Page 365 of 404

 

background image
અધિકાર૧૯ઃ શ્રી જિનપૂજાષ્ટક ]૩૩૯
स्वश्रेयसे तदपि तत्कुरुते जनोऽर्हन्
कार्या कृषिः फलकृते न तु भूपकृत्यै
।।१०।।
અનુવાદ : મુનિ પદ્મ (પદ્મનન્દી) દ્વારા જેના ગુણ સમૂહની સ્તુતિ
કરવામાં આવી છે એવા હે અરહંતદેવ! જો કે કૃતકૃત્યતા પામી જવાથી તમને
પૂજા આદિથી કાંઈ પણ પ્રયોજન રહ્યું નથી, તો પણ મનુષ્ય પોતાના કલ્યાણ
માટે તમારી પૂજા કરે છે. બરાબર પણ છે
ખેતી પોતાનું જ પ્રયોજન સિદ્ધ કરવા
માટે કરવામાં આવે છે, નહિ કે રાજાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે.
વિશેષાર્થ : જેમ ખેડૂત જે ખેતી કરે છે તેમાંથી તે કેટલોક ભાગ જો કે કરરૂપે
રાજાને પણ આપે છે તો પણ તે રાજાના નિમિત્તે કાંઈ ખેતી કરતો નથી પરંતુ પોતાના જ
પ્રયોજન (કુટુંબ પરિપાલન આદિ) ને સાધવા માટે તે કરે છે. બરાબર એવી જ રીતે
ભક્તજનો જે જિનેન્દ્ર આદિની પૂજા કરે છે તે કાંઈ તેમને પ્રસન્ન કરવા માટે કરતા નથી,
પરંતુ પોતાના આત્મપરિણામોની નિર્મળતા માટે જ કરે છે. કારણ એ છે કે જિન ભગવાન
તો વીતરાગ (રાગ-દ્વેષ રહિત) છે, તેથી તેનાથી તેમની પ્રસન્નતા તો સંભવતી નથી; છતાં
પણ તેનાથી પૂજા કરનારાને પરિણામોમાં જે નિર્મળતા ઉત્પન્ન થાય છે તેનાથી તેના પાપકર્મોનો
રસ ક્ષીણ થાય છે અને પુણ્યકર્મોનો અનુભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે દુઃખનો વિનાશ થઈને
તેને સુખની પ્રાપ્તિ સ્વયમેવ થાય છે. આચાર્યપ્રવર શ્રી સમન્તભદ્ર સ્વામીએ પણ એમ જ કહ્યું
છે
न पूजयार्थस्त्वयि वीतरागे न निन्दया नाथ विवान्तवैरे तथापि ते पुण्यगुणस्मृतिर्नः पुनातु चित्तं
दुरिताञ्जनेभ्यः ।। અર્થાત્ હે ભગવન્! આપ વીતરાગ છો તેથી આપને પૂજાનું કાંઈ પ્રયોજન
રહ્યું નથી તથા આપ વૈરભાવ (દ્વેષ બુદ્ધિ) થી પણ રહિત છો તેથી નિન્દાનું પણ આપને કાંઈ
પ્રયોજન રહ્યું નથી. છતાં પણ પૂજા આદિ દ્વારા થતું આપના પવિત્ર ગુણનું સ્મરણ અમારા
ચિત્તને પાપરૂપ કાલિમાથી બચાવે છે. [સ્વયંભૂ સ્તોત્ર. ૫૭]. ૧૦.
આ રીતે જિનપૂજાષ્ટક સમાપ્ત થયું. ૧૯.