૩૪૦
૨૦. શ્રી કરુણાષ્ટક
[२०. करुणाष्टम् ]
(आर्या)
त्रिभुवनगुरो जिनेश्वर परमानन्दैककारण कृरुष्व ।
मयि किंकरेऽत्र करुणां तथा यथा जायते मुक्तिः ।।१।।
અનુવાદ : ત્રણે લોકના ગુરુ અને ઉત્કૃષ્ટ સુખના અદ્વિતીય કારણ એવા હે
જિનેશ્વર! આ દાસ ઉપર એવી કૃપા કરો કે જેથી મને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. ૧.
(आर्या )
निर्विण्णो ऽहं नितरामर्हन् बहुदुःखया भवस्थित्या ।
अपुनर्भवाय भवहर कुरु करुणामत्र मयि दीने ।।२।।
અનુવાદ : હે સંસારના નાશક અરહંત! હું અનેક દુઃખ ઉત્પન્ન કરનાર આ
સંસારવાસનાથી અત્યંત વિરક્ત થયો છું. આપ આ દીન ઉપર એવી કૃપા કરો કે
જેથી મારે ફરી જન્મ ન લેવો પડે અર્થાત્ હું મુક્ત થઈ જાઉં. ૨.
(आर्या )
उद्धर मां पतितमतो विषमाद्भवकूपतः कृपां कृत्वा ।
अर्हन्नलमुद्धरणे त्वमसीति पुनः पुनर्वच्मि ।।३।।
અનુવાદ : હે અરહંત! આપ કૃપા કરીને આ ભયાનક સંસારરૂપ કૂવામાં
પડેલા મારો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી ઉદ્ધાર કરવા માટે સમર્થ છો. તેથી
હું વારંવાર આપને નિવેદન કરૂં છું. ૩.