૩૪૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
(आर्या )
जगदेकशरण भगवन्नसमश्रीपद्मनन्दितगुणौघ ।
किं बहुना कुरु करुणाम् अत्र जने शरणमापन्ने ।।८।।
અનુવાદ : જગતના પ્રાણીઓના અદ્વિતીય રક્ષક તથા અસાધારણ લક્ષ્મી
સંપન્ન અને મુનિ પદ્મનન્દી દ્વારા સ્તુતિ કરાયેલ ગુણસમૂહ સહિત એવા હે ભગવન્!
હું વધારે શું કહું? શરણે આવેલા આ જન (મારા) ઉપર આપ દયા કરો. ૮.
આ રીતે કરુણાષ્ટક સમાપ્ત થયું. ૨૦.