Padmanandi Panchvinshati (Gujarati). 21. Kriyakandachoolika Shlok: 1-2 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 343 of 378
PDF/HTML Page 369 of 404

 

background image
૩૪૩
૨૧. ક્રિયાકાંડચૂલિકા
[२१. क्रियाकाण्डचूलिका ]
(शार्दूलविक्रीडित)
सम्यग्दर्शनबोधवृ त्तसमताशीलक्षमाद्यैर्घनैः
संकेताश्रयवज्जिनेश्वर भवान् सर्वैर्गुणैराश्रितः
मन्ये त्वय्यवकाशलब्धिरहितैः सर्वत्र लोके वयं
संग्राह्या इति गर्वितैः परिहृतो दोषैरशेषैरपि
।।।।
અનુવાદ : હે જિનેશ્વર! સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, સમતા,
શીલ અને ક્ષમા આદિ સર્વ ગુણોએ જે સંકેતગૃહ સમાન આપનો સઘનરૂપે આશ્રય
કર્યો છે; તેથી મને એમ લાગે છે આપનામાં સ્થાન પ્રાપ્ત ન થવાથી ‘લોકમાં અમે
સર્વત્ર સંગ્રહ કરવાને યોગ્ય છીએ’ એ જાતનું અભિમાન પામીને જ જાણે કે બધા
દોષોએ આપને છોડી દીધા છે.
વિશેષાર્થ : જિન ભગવાનમાં સમ્યગ્દર્શન, આદિ બધા ઉત્તમોત્તમ ગુણો હોય છે.
પરંતુ દોષ તેમનામાં એક પણ હોતો નથી. તેથી ગ્રન્થકારે અહીં આ ઉત્પ્રેક્ષા કરી છે કે તેમની
અંદર એટલા બધા ગુણો પ્રવેશી ચુક્યા હતા કે દોષોને માટે ત્યાં સ્થાન જ રહ્યું નહોતું. તેથી
જાણે તેમનાથી તિરસ્કૃત થવાને કારણે દોષોને એ અભિમાન જ ઉત્પન્ન થયું હતું કે લોકમાં
અમારો સંગ્રહ તો બધા જ કરવા ઇચ્છે છે તો પછી જો આ જિન અમારી ઉપેક્ષા કરે છે તો
અમે એમની પાસે કદી પણ નહિ જઈએ. આ અભિમાનને કારણે જ તે દોષોએ જિનેન્દ્રદેવને
છોડી દીધા હતા. ૧.
(वसंततिलका)
यस्त्वामनन्तगुणमेकविभुं त्रिलोक्याः
स्तौति प्रभूतकवितागुणगर्वितात्मा