आरोहति द्रुमशिरः स नरो नभो ऽन्तं
गन्तुं जिनेन्द्र मतिविभ्रमतो बुधो ऽपि ।।२।।
અનુવાદ : હે જિનેન્દ્ર! કવિતા કરવા યોગ્ય અનેક ગુણો હોવાથી અભિમાન
પામેલો જે મનુષ્ય અનંત ગુણો સહિત અને ત્રણે લોકના અદ્વિતીય પ્રભુસ્વરૂપ તમારી
સ્તુતિ કરે છે તે વિદ્વાન હોવા છતાં પણ જાણે બુદ્ધિની વિપરીતતાથી (મૂર્ખતાથી)
આકાશનો અંત પામવા માટે વૃક્ષના શિખર ઉપર જ ચડે છે.
વિશેષાર્થ : જેમ અનંત આકાશનો અંત પામવો અસંભવ છે તેવી જ રીતે ત્રિલોકીનાથ
(જિનેન્દ્ર)ના અનંત ગુણોનો પણ સ્તુતિ દ્વારા અંત પામવો અસંભવ જ છે. છતાં પણ જે વિદ્વાન
કવિ સ્તુતિ દ્વારા તેમના અનંત ગુણોનું કીર્તન કરવા ઇચ્છે છે, તો એમ સમજવું જોઈએ કે તે પોતાના
કવિત્વ ગુણના અભિમાનથી જ તેમ કરવાને ઉદ્યત થયો છે. ૨.
(वसंततिलका)
शक्नोति कर्तुमिह कः स्तवनं समस्त-
विद्याधिपस्य भवतो विबुधार्चिताङ्ध्रेः ।
तत्रापि तज्जिनपते कुरुते जनो यत्
तच्चित्तमध्यगतभक्ति निवेदनाय ।।३।।
અનુવાદ : જે સમસ્ત વિદ્યાઓના સ્વામી છે તથા જેમના ચરણ દેવો દ્વારા
પૂજવામાં આવ્યા છે એવા આપની સ્તુતિ કરવા માટે અહીં કોણ સમર્થ છે? અર્થાત્
કોઈપણ સમર્થ નથી. છતાં પણ હે જિનેન્દ્ર! જે મનુષ્ય આપની સ્તુતિ કરે છે તે
પોતાના ચિત્તમાં રહેતી ભક્તિ પ્રગટ કરવા માટે જ કરે છે. ૩.
(वसंततिलका)
नामापि देव भवतः स्मृतिगोचरत्वं
वाग्गोचरत्वमथ येन सुभक्ति भाजा ।
नीतं लभेत स नरो निखिलार्थसिद्धिं
साध्वी स्तुतिर्भवतु मां किल कात्र चिन्ता ।।४।।
અનુવાદ : હે દેવ! જે મનુષ્ય અતિશય ભક્તિયુક્ત થઈને આપના નામને
૩૪૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ