Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 5-7 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 345 of 378
PDF/HTML Page 371 of 404

 

background image
પણ સ્મૃતિનો વિષય અથવા વચનનો વિષય બનાવે છેેમનથી આપના નામનું ચિન્તન
તથા વચનથી કેવળ તેનું ઉચ્ચારણ જ કરે છેતેના સર્વ પ્રકારના પ્રયોજન સિદ્ધ થાય
છે. એવી હાલતમાં મારે શી ચિન્તા છે? અર્થાત્ કાંઈ પણ નથી. તે ઉત્તમ સ્તુતિ
જ પ્રયોજન સિદ્ધ કરનારી થાવ. ૪.
(वसंततिलका)
एतावतैव मम पूर्यत एव देव
सेवां करोमि भवतश्चरणद्वयस्य
अत्रैव जन्मनि परत्र च सर्वकालं
न त्वामितः परमहं जिन याचयामि
।।।।
અનુવાદ : હે દેવ! હું આ જન્મમાં તથા બીજા જન્મમાં પણ નિરંતર આપના
ચરણયુગલની સેવા કરતો રહું, એટલા માત્રથી જ મારૂં પ્રયોજન પૂર્ણ થઈ જાય છે.
હે જિનેન્દ્ર! એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ માગતો નથી. ૫.
(वसंततिलका)
सर्वागमावगमतः खलु तत्त्वबोधो
मोक्षाय वृत्तमपि संप्रति दुर्घटं नः
जाडयात्तथा कुतनुतस्त्वयि भक्ति रेव
देवास्ति सैव भवतु क्रमतस्तदर्थम्
।।।।
અનુવાદ : હે દેવ! મુક્તિના કારણભૂત જે તત્ત્વજ્ઞાન છે તે નિશ્ચયથી
સમસ્ત આગમો જાણી લેવાથી પ્રાપ્ત થાય છે અને તે અમે જડબુદ્ધિ હોવાથી
અમારે માટે દુર્લભ જ છે. એ જ રીતે તે મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે
તે પણ શરીરની દુર્બળતાથી આ વખતે અમને પ્રાપ્ત થઈ શકતું નથી એ કારણે
આપના વિષયમાં જે મારી ભક્તિ છે તે જ ક્રમશઃ મને મુક્તિનું કારણ
થાવ. ૬.
(मालिनी)
हरति हरतु वृद्धं वार्धकं कायकान्तिं
दधति दधतु दूरं मन्दतामिन्द्रियाणि
અધિકાર૨૧ઃ ક્રિયાકાંડચૂલિકા ]૩૪૫