Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8-9 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 346 of 378
PDF/HTML Page 372 of 404

 

background image
भवति भवतु दुःखं जायतां वा विनाशः
परमिह जिननाथे भक्ति रेका ममास्तु
।।।।
અનુવાદ : વૃદ્ધિને પ્રાપ્ત થયેલ વૃદ્ધાવસ્થા જો શરીરની કાંતિ નષ્ટ કરે
છે તો કરો, જો ઇન્દ્રિયો અત્યંત શિથિલતા ધારણ કરે છે તો કરો, જો દુઃખ
થાય છે તો થાવ તથા જો વિનાશ થાય છે તો પણ ભલે થાય. પરંતુ અહીં
મારી એક માત્ર જિનેન્દ્રના વિષયમાં ભક્તિ બની રહો. ૭.
(वसंततिलका)
अस्तु त्रयं मम सुदर्शनबोधवृत्त-
संबन्धि यान्तु च समस्तदुरीहितानि
याचे न किंचिदपरं भगवन् भवन्तं
नाप्राप्तमस्ति किमपीह यतस्त्रिलोक्याम्
।।।।
અનુવાદ : હે ભગવાન્! મને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર
સંબંધી ત્રણ અર્થાત્ રત્નત્રય પ્રાપ્ત થાવ. તથા મારી સમસ્ત દુશ્ચેષ્ટાઓ નષ્ટ થઈ
જાવ, એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ નથી માગતો; કારણ કે ત્રણે
લોકમાં હજી સુધી જે પ્રાપ્ત ન થયું હોય એવું અન્ય કાંઈ પણ નથી.
વિશેષાર્થ : અહીં જિનેન્દ્ર ભગવાન પાસે કેવળ એક એ જ યાચના કરવામાં
આવી છે કે આપની કૃપાથી મારી દુષ્ટ વૃત્તિ નષ્ટ થઈને મને રત્નત્રયની પ્રાપ્તિ થાવ, એ
સિવાય બીજી કોઈ પણ યાચના કરવામાં આવી નથી. એનું કારણ એ આપવામાં આવ્યું છે
કે અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએ ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના પદ તો
અનેક વાર પ્રાપ્ત કરી લીધાં, પરંતુ રત્નત્રયની પ્રાપ્તિ તેને હજી સુધી કદી થઈ નથી. તેથી
તે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા રત્નત્રયની જ અહીં યાચના કરવામાં આવી છે. નીતિકાર પણ
એ જ કહે કે
लोको ‘ह्यभिनवप्रियः’ અર્થાત્ જનસમૂહ નવી નવી વસ્તુ પ્રત્યે જ અનુરાગ કર્યા
કરે છે. ૮.
(वसंततिलका)
धन्यो ऽस्मि पुण्यनिलयो ऽस्मि निराकुलो ऽस्मि
शान्तो ऽस्मि नष्टविपदस्मि विदस्मि देव
૩૪૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ