श्रीमज्जिनेन्द्र भवतो ऽङ्ध्रियुगं शरण्यं
प्राप्तो ऽस्मि चेदहमतीन्द्रियसौख्यकारि ।।९।।
અનુવાદ : હે શ્રીમદ્ જિનેન્દ્રદેવ! હું અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) કરનાર,
આપના ચરણયુગલનું શરણ પ્રાપ્ત કરી ચૂક્યો છું; માટે હું ધન્ય છું, પુણ્યનું સ્થાન
છું, આકુળતા રહિત છું, શાન્ત છું, વિપત્તિઓ રહિત છું અને જ્ઞાતા પણ છું. ૯.
(वसंततिलका)
रत्नत्रये तपसि पङ्क्ति विधे च धर्मे
मूलोत्तरेषु च गुणेष्वथ गुप्तिकार्ये ।
दर्पात्प्रमादत उतागसि मे प्रवृत्ते
मिथ्यास्तु नाथ जिनदेव तव प्रसादात् ।।१०।।
અનુવાદ : હે નાથ! હે જિનદેવ! રત્નત્રય, તપ, દસ પ્રકારના ધર્મ, મૂળગુણ,
ઉત્તરગુણ અને ગુપ્તિરૂપ કાર્ય; આ બધાના વિષયમાં અભિમાનથી અથવા પ્રમાદથી
મારી સદોષ પ્રવૃત્તિ થઈ હોય તે આપના પ્રસાદથી મિથ્યા થાવ. ૧૦.
(उपेन्द्रवज्रा)
मनोवचो ऽङ्गैः कृतमङ्गिपीडनं
प्रमोदितं कारितमत्र यन्मया ।
प्रमादतो दर्पत एतदाश्रयं
तऽस्तु मिथ्या जिन दुष्कृतं मम ।।११।।
અનુવાદ : હે જિન! પ્રમાદથી અથવા અભિમાનથી જે મેં અહીં મન,
વચન અને શરીરથી પ્રાણીઓનું પીડન સ્વયં કર્યું હોય, બીજાઓ પાસે કરાવ્યું
હોય અથવા પ્રાણીને પીડા ઉપજાવતા જીવને જોઈને હર્ષ પ્રગટ કર્યો હોય; તેના
આશ્રયે થનાર મારૂં તે પાપ મિથ્યા થાવ. ૧૧.
(शार्दूलविक्रीडित)
चिन्तादुष्परिणामसंततिवशादुन्मार्गगाया गिरः
कायात्संवृतिवर्जितादनुचितं कर्मार्जितं यन्मया ।
અધિકાર – ૨૧ઃ ક્રિયાકાંડચૂલિકા ]૩૪૭