Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 10-12 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 347 of 378
PDF/HTML Page 373 of 404

 

background image
श्रीमज्जिनेन्द्र भवतो ऽङ्ध्रियुगं शरण्यं
प्राप्तो ऽस्मि चेदहमतीन्द्रियसौख्यकारि
।।।।
અનુવાદ : હે શ્રીમદ્ જિનેન્દ્રદેવ! હું અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) કરનાર,
આપના ચરણયુગલનું શરણ પ્રાપ્ત કરી ચૂક્યો છું; માટે હું ધન્ય છું, પુણ્યનું સ્થાન
છું, આકુળતા રહિત છું, શાન્ત છું, વિપત્તિઓ રહિત છું અને જ્ઞાતા પણ છું. ૯.
(वसंततिलका)
रत्नत्रये तपसि पङ्क्ति विधे च धर्मे
मूलोत्तरेषु च गुणेष्वथ गुप्तिकार्ये
दर्पात्प्रमादत उतागसि मे प्रवृत्ते
मिथ्यास्तु नाथ जिनदेव तव प्रसादात्
।।१०।।
અનુવાદ : હે નાથ! હે જિનદેવ! રત્નત્રય, તપ, દસ પ્રકારના ધર્મ, મૂળગુણ,
ઉત્તરગુણ અને ગુપ્તિરૂપ કાર્ય; આ બધાના વિષયમાં અભિમાનથી અથવા પ્રમાદથી
મારી સદોષ પ્રવૃત્તિ થઈ હોય તે આપના પ્રસાદથી મિથ્યા થાવ. ૧૦.
(उपेन्द्रवज्रा)
मनोवचो ऽङ्गैः कृतमङ्गिपीडनं
प्रमोदितं कारितमत्र यन्मया
प्रमादतो दर्पत एतदाश्रयं
तऽस्तु मिथ्या जिन दुष्कृतं मम
।।११।।
અનુવાદ : હે જિન! પ્રમાદથી અથવા અભિમાનથી જે મેં અહીં મન,
વચન અને શરીરથી પ્રાણીઓનું પીડન સ્વયં કર્યું હોય, બીજાઓ પાસે કરાવ્યું
હોય અથવા પ્રાણીને પીડા ઉપજાવતા જીવને જોઈને હર્ષ પ્રગટ કર્યો હોય; તેના
આશ્રયે થનાર મારૂં તે પાપ મિથ્યા થાવ. ૧૧.
(शार्दूलविक्रीडित)
चिन्तादुष्परिणामसंततिवशादुन्मार्गगाया गिरः
कायात्संवृतिवर्जितादनुचितं कर्मार्जितं यन्मया
અધિકાર૨૧ઃ ક્રિયાકાંડચૂલિકા ]૩૪૭