रेषा मोक्षफलप्रदा किल कथं नास्मिन् समर्था भवेत्
અર્થાત્ સાવદ્ય વચન દ્વારા તથા સંવર રહિત શરીર દ્વારા જે મેં અનુચિત (પાપ)
કર્મ ઉત્પન્ન કર્યું છે તે તમારા ચરણ-કમળના સ્મરણથી નાશ પામો. બરાબર પણ
છે જે તમારા ચરણ-કમળનું સ્મરણ મોક્ષરૂપ ફળ આપે છે તે આ (પાપવિનાશ)
કાર્યમાં કેમ સમર્થ ન થાય? અવશ્ય થશે. ૧૨.
सद्मन्यसौ प्रवरदीपशिखासमाना
कालत्रये प्रकटिताखिलवस्तुतत्त्वा
નાગકુમારોથી વંદનીય છે; તથા ત્રણે કાળની વસ્તુઓના સ્વરૂપને પ્રગટ કરનારી
છે; તે અહીં પ્રમાણ (સત્ય) છે.
દીપક જો પ્રભાસહિત હોય છે તો તે વાણી પણ અનેકાન્તરૂપ પ્રભાસહિત છે; દીપશિખાને જો
કેટલાક મનુષ્યો જ વંદન કરે છે તો જિનવાણીને મનુષ્યો, દેવો અને અસુરો પણ વંદન કરે
છે; તથા દીપશિખા જો વર્તમાનની કેટલીક જ વસ્તુઓને પ્રગટ કરે છે તો તે જિનવાણી ત્રણેય
કાળની સમસ્ત વસ્તુઓને પ્રગટ કરે છે. આ રીતે દીપશિખા સમાન હોવા છતાં પણ તે
જિનવાણીનું સ્વરૂપ અપૂર્વ જ છે. ૧૩.
यदूनमभवन्मनोवचनकायवैकल्यतः