Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 13-14 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 348 of 378
PDF/HTML Page 374 of 404

 

background image
तन्नाशं व्रजतु प्रभो जिनपते त्वत्पादपद्मस्मृते-
रेषा मोक्षफलप्रदा किल कथं नास्मिन् समर्था भवेत्
।।१२।।
અનુવાદ : હે જિનેન્દ્ર પ્રભો! ચિન્તાને કારણે ઉત્પન્ન થયેલ અશુભ
પરિણામોને વશ થઈને અર્થાત્ મનની દુષ્ટ વૃત્તિથી, કુમાર્ગમાં પ્રવૃત્ત થયેલી વાણી
અર્થાત્ સાવદ્ય વચન દ્વારા તથા સંવર રહિત શરીર દ્વારા જે મેં અનુચિત (પાપ)
કર્મ ઉત્પન્ન કર્યું છે તે તમારા ચરણ-કમળના સ્મરણથી નાશ પામો. બરાબર પણ
છે જે તમારા ચરણ-કમળનું સ્મરણ મોક્ષરૂપ ફળ આપે છે તે આ (પાપવિનાશ)
કાર્યમાં કેમ સમર્થ ન થાય? અવશ્ય થશે. ૧૨.
(वसंततिलका)
वाणी प्रमाणमिह सर्वविदस्त्रिलोकी-
सद्मन्यसौ प्रवरदीपशिखासमाना
स्याद्वादकान्तिकलिता नृसुराहिवन्द्या
कालत्रये प्रकटिताखिलवस्तुतत्त्वा
।।१३।।
અનુવાદ : જે સર્વજ્ઞની વાણી (જિનવાણી) ત્રણ લોકરૂપ ઘરમાં ઉત્તમ
દીપકની શિખા સમાન થઈને સ્યાદ્વાદરૂપ પ્રભા સહિત છે; મનુષ્ય, દેવ અને
નાગકુમારોથી વંદનીય છે; તથા ત્રણે કાળની વસ્તુઓના સ્વરૂપને પ્રગટ કરનારી
છે; તે અહીં પ્રમાણ (સત્ય) છે.
વિશેષાર્થ : અહીં જિનવાણીને દીપશિખા સમાન બતાવીને તેના કરતાં પણ તેમાં
કાંઈક વિશેષતા પ્રગટ કરવામાં આવી છે. જેમ કેદીપશિખા ઘરની અંદરની જ વસ્તુઓને
પ્રકાશિત કરે છે પણ જિનવાણી ત્રણે લોકની અંદરની બધી જ વસ્તુઓને પ્રકાશિત કરે છે.
દીપક જો પ્રભાસહિત હોય છે તો તે વાણી પણ અનેકાન્તરૂપ પ્રભાસહિત છે; દીપશિખાને જો
કેટલાક મનુષ્યો જ વંદન કરે છે તો જિનવાણીને મનુષ્યો, દેવો અને અસુરો પણ વંદન કરે
છે; તથા દીપશિખા જો વર્તમાનની કેટલીક જ વસ્તુઓને પ્રગટ કરે છે તો તે જિનવાણી ત્રણેય
કાળની સમસ્ત વસ્તુઓને પ્રગટ કરે છે. આ રીતે દીપશિખા સમાન હોવા છતાં પણ તે
જિનવાણીનું સ્વરૂપ અપૂર્વ જ છે. ૧૩.
(पृथ्वी)
क्षमस्व मम वाणि तज्जिनपतिश्रुतादिस्तुतौ
यदूनमभवन्मनोवचनकायवैकल्यतः
૩૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ