Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 15-17 (21. Kriyakandachoolika).

< Previous Page   Next Page >


Page 349 of 378
PDF/HTML Page 375 of 404

 

background image
अनेकभवसंभवैर्जडिमकारणैः कर्मभिः
कुतोऽत्र किल मा
द्रशे जननि ताद्रशं पाटवम् ।।१४।।
અનુવાદ : હે વાણી! જિનેન્દ્ર અને સરસ્વતી આદિની સ્તુતિના વિષયમાં
મન, વચન અને શરીરની વિકળતાના કારણે જે કાંઈ ખામી રહી હોય તેને હે
માતા! તું ક્ષમા કર. કારણ એ છે કે અનેક ભવોમાં ઉપાર્જિત અને અજ્ઞાન
ઉત્પન્ન કરનાર કર્મોનો ઉદય રહેવાથી મારા જેવા મનુષ્યમાં તેવી નિપુણતા
ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૪.
(अनुष्टुभ)
पल्लवो ऽयं क्रियाकाण्डकल्पशाखाग्रसंगतः
जीयादशेषभव्यानां प्रार्थितार्थफलप्रदः ।।१५।।
અનુવાદ : સમસ્ત ભવ્ય જીવોને ઇષ્ટ ફળ આપનાર આ ક્રિયાકાંડરૂપ
કલ્પવૃક્ષની શાખાના અગ્રભાગે લાગેલ નવીન પત્ર જયવંત હો. ૧૫.
(भुजंगयालप्रयात्न)
क्रियाकाण्डसंबन्धिनी चूलिकेयं
नरैः पठयते यैस्त्रिसंध्यं च तेषाम्
वपुर्भारतीचित्तवैकल्यतो या
न पूर्णा क्रिया सापि पूर्णत्वमेति
।।१६।।
અનુવાદ : જે મનુષ્ય ક્રિયાકાંડ સંબંધી આ ચૂલિકા ત્રણે સંધ્યાકાળે ભણે છે
તેમની શરીર, વાણી અને મનની વિકળતાને કારણે જે ક્રિયા પૂર્ણ ન થઈ હોય તે
પણ પૂર્ણ થઈ જાય છે. ૧૬.
(पृथ्वी)
जिनेश्वर नमो ऽस्तु ते त्रिभुवनैकचूडामणे
गतो ऽस्मि शरणं विभो भवभिया भवन्तं प्रति
तदाहतिकृते बुधैरकथि तत्त्वमतन्मया-
श्रितं सु
द्रढचेतसा भवहरस्त्वमेवात्र यत् ।।१७।।
અધિકાર૨૧ઃ ક્રિયાકાંડચૂલિકા ]૩૪૯