अनेकभवसंभवैर्जडिमकारणैः कर्मभिः
कुतोऽत्र किल माद्रशे जननि ताद्रशं पाटवम् ।।१४।।
અનુવાદ : હે વાણી! જિનેન્દ્ર અને સરસ્વતી આદિની સ્તુતિના વિષયમાં
મન, વચન અને શરીરની વિકળતાના કારણે જે કાંઈ ખામી રહી હોય તેને હે
માતા! તું ક્ષમા કર. કારણ એ છે કે અનેક ભવોમાં ઉપાર્જિત અને અજ્ઞાન
ઉત્પન્ન કરનાર કર્મોનો ઉદય રહેવાથી મારા જેવા મનુષ્યમાં તેવી નિપુણતા
ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૪.
(अनुष्टुभ)
पल्लवो ऽयं क्रियाकाण्डकल्पशाखाग्रसंगतः ।
जीयादशेषभव्यानां प्रार्थितार्थफलप्रदः ।।१५।।
અનુવાદ : સમસ્ત ભવ્ય જીવોને ઇષ્ટ ફળ આપનાર આ ક્રિયાકાંડરૂપ
કલ્પવૃક્ષની શાખાના અગ્રભાગે લાગેલ નવીન પત્ર જયવંત હો. ૧૫.
(भुजंगयालप्रयात्न)
क्रियाकाण्डसंबन्धिनी चूलिकेयं
नरैः पठयते यैस्त्रिसंध्यं च तेषाम् ।
वपुर्भारतीचित्तवैकल्यतो या
न पूर्णा क्रिया सापि पूर्णत्वमेति ।।१६।।
અનુવાદ : જે મનુષ્ય ક્રિયાકાંડ સંબંધી આ ચૂલિકા ત્રણે સંધ્યાકાળે ભણે છે
તેમની શરીર, વાણી અને મનની વિકળતાને કારણે જે ક્રિયા પૂર્ણ ન થઈ હોય તે
પણ પૂર્ણ થઈ જાય છે. ૧૬.
(पृथ्वी)
जिनेश्वर नमो ऽस्तु ते त्रिभुवनैकचूडामणे
गतो ऽस्मि शरणं विभो भवभिया भवन्तं प्रति ।
तदाहतिकृते बुधैरकथि तत्त्वमतन्मया-
श्रितं सुद्रढचेतसा भवहरस्त्वमेवात्र यत् ।।१७।।
અધિકાર – ૨૧ઃ ક્રિયાકાંડચૂલિકા ]૩૪૯